બોલિવૂડમાં પોતાના ટેલેન્ટ અને એક્ટિંગના દમ પર ટોચનું મુકામ હાંસલ કરનાર સુશાંતે આપઘાત કેમ કર્યો એ ગુત્થીનો હજી ઉકેલ આવ્યો નથી. કોઈ આને ડિપ્રેશનનું કારણ ગણાવી રહ્યું છે તો કોઈ બોલિવૂડમાં નેપોટિઝ્મને કારણ માની રહ્યું છે. જોકે, સુશાંતના નિધન બાદ પોલીસે અત્યાર સુધી 9 લોકોના નિવેદન નોંધી લીધા છે. ત્યારે જવાનજોધ દિકરો આમ જતા રહેતાં સુશાંતના પિતા આઘાતમાં છે. પોલીસને આપેલા નિવેદનમાં સુશાંતના પિતાએ સ્વીકાર્યું કે, તેમને જાણ નહોતી કે, દિકરાને ડિપ્રેશન હતું.
સુશાંત તેની પાછળ અનેક સવાલો મૂકી ગયો છે
તો અત્યાર સુધી પોલીસે 9 લોકોનું નિવેદન લીધું
જેમાં સુશાંતના પિતાએ જણાવ્યું કે દિકરાને ડિપ્રેશન હોવાની વાત ખબર નહોતી
પોતાના યુવાન દિકરાની અંતિકક્રિયા કરતી વખતે એક પિતાને કેટલું દુઃખ થયું હશે એ એક પિતા જ સમજી શકે છે. સુશાંતના નિધનથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. ત્યારે એક અહેવાલ મુજબ, મુંબઈના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જાણકારી આપી છે કે, સુશાંતના પિતા નહોતા જાણતા કે તેમના દિકરાને ડિપ્રેશનમાં હતો. સુશાંતના પિતાએ નિવેદનમાં જણાવ્યું કે, સુશાંત ઘણીવાર લો ફીલ કરતો હતો, જોકે, તે ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી, તે અંગે તેમને જાણ નહોતી.
સાથે જ તે અંદરથી આટલો દુઃખી હતો એ પરિવારમાંથી કોઈ નહોતું જાણતું. પરિવારને કોઈના પર શંકા નથી.
પોલીસે મંગળવારે સુશાંતના ઘરે જઈને તેના પિતા અને બંને બહેનોનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ મુજબ, આ ત્રણેયએ અત્યાર સુધી કોઈના પર શંકા જાહેર કરી નથી, પણ સુશાંતના કઝિન ભાઈ અને બિહારના ધારાસભ્ય નીરજ બબલૂએ મીડિયાથી વાત કરતાં સુશાંતની મોત પાછળ કોઈ કાવતરૂં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર પોલીસે સુશાંત સિંહ રાજપૂતના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાનીથી અભિનેતાની આર્થિક સ્થિતિ, વ્યવસાયિક વ્યવહાર અને બોલિવૂડમાં તેની પ્રોફાઇલની માંગી છે. પોલીસે રવિવારે સુશાંતના ક્રિએટિવ મેનેજરનું પ્રારંભિક નિવેદન નોંધ્યું હતું, પરંતુ તેને ફરીથી બોલાવવામાં આવ્યા છે.
રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખના ટ્વિટ બાદ પોલીસ ફરી સુશાંતના મિત્ર મહેશ શેટ્ટીનો સંપર્ક કરી બોલિવૂડમાં વ્યાવસાયિક દુશ્મનાવટ સુશાંતના ડિપ્રેશન પાછળનું કારણ હતું, એ અંગે પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ અથવા આત્મહત્યાના અન્ય કિસ્સાને લગતા હાઇ પ્રોફાઇલ આત્મહત્યા માટે જવાબદાર આરોપીને મળતી સજાનો સરેરાશ માત્ર 5 ટકા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં પોલીસને આવી કોઈ ચાવી મળી નથી, જેનાથી કોઈ શંકા થઈ શકે. હાલમાં પોલીસની સંપૂર્ણ તપાસ સુશાંતના પરિવાર અને નજીકના લોકોના નિવેદન પર આધારિત છે.