સુશાંતની મોતને 13 દિવસ થઈ ગયા છે, છતાં તેનો પરિવાર અને ફેન્સ આ આઘાતમાંથી બહાર નથી આવી શકી રહ્યાં. આ દરમિયાન તેના પરિવારે એક સ્ટેટમેન્ટ ફેન્સ માટે જારી કર્યો છે. આ સ્ટેટમેન્ટ તેમણે તેમના વહાલા ગુલશન એટલે કે સુશાંતને અલવિદા કહેતા મોટી જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, સુશાંતના ઘરનું નામ ગુલશન હતું.
સુશાંતની મોત બાદ પરિવારે જારી કર્યું સ્ટેટમેન્ટ
13 દિવસ બાદ પરિવારે કરી આ અગત્યની જાહેરાત
યંગ ટેલેન્ટને મદદ કરવા ખુલશે SSR ફાઉન્ડેશન
દિવંગત સુશાંતના પરિવારે સ્ટેટમેન્ટમાં લખ્યું- અલવિદા સુશાંત. દુનિયા માટે સુશાંત રાજપૂત હતો પણ અમારા માટે અમારો વહાલો ગુલશન હતો. તે સ્વતંત્ર વિચારો ધરાવતો, વાતોડિયો અને બહુ જ હોશિયાર છોકરો હતો. તેનામાં દરેક બાબત માટે જિજ્ઞાસા હતી. તે સપના જોતો અને મજબૂત મનોબળથી તે સપનાની પાછળ દોડતો હતો. તે દિલ ખોલીને હસતો હતો.
તે અમારા પરિવારનો ગર્વ અને પ્રેરણા હતો.તેનું ટેલિસ્કોપ તેણે ખરીદેલી સૌથી ફેવરિટ વસ્તુ હતી, જેના થકી તે તારા જોતો હતો.અમે સ્વીકારી નથી શકતાં કે હવે અમને તેનું હાસ્ય સાંભળવા નહીં મળે. અમે ફરીથી તેની ચમકતી આંખો નહીં જોઈ શકીએ અને સાયન્સ વિશેની તેની કદી ના ખૂટતી વાતો હવે ફરી નહીં સાંભળી શકીએ. તેના જવાથી પરિવારમાં ક્યારેય ના ભરાય તેવો ખાલીપો આવી ગયો છે. તે સાચા દિલથી તેના દરેક ફેન્સને પ્રેમ કરતો હતો.
સ્ટેટમેન્ટમાં આગળ જણાવાયું છે કે, તેની યાદોને જીવંત રાખવા માટે એક ફાઉન્ડેશન શરૂ કરવામાં આવશે. આગળ સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે, અમારા ગુલશનને આટલો પ્રેમ આપવા બદલ આભાર. સુશાંતની યાદમાં તેનો પરિવાર તેની પસંદગીના સબજેક્ટ્સ સાયન્સ, સિનેમા અને સ્પોર્ટ્સમાં આગળ આવવા માંગતા યંગ ટેલેન્ટને સપોર્ટ કરશે. સાથે જ તેના પટના રાજીવ નગર સ્થિત તેના ઘરને મેમોરિયલમાં ફેરવવામાં આવશે. અમે અહીં તેની પસંદગીની વસ્તુઓ રાખીશું, જેમાં તેની હજારો બુક્સ, ટેલિસ્કોપ, ફ્લાઈટ સિમ્યુલેટર સહિત અન્ય વસ્તુઓ હશે. જેથી તેના ફેન્સ અને ચાહકો જોઈ શકે.