સુશાંત સિંહ રાજપૂતની મોતને હવે દોઢ મહિનો થવા આવ્યો છે, પરંતુ હજી પણ લોકોને વિશ્વાસ નથી આવતો કે તે આપણી વચ્ચે હવે નથી અને તેણે સુસાઈડ કરી લીધું. આ વાત માત્ર સામાન્ય જનતાના મનમાં જ નહીં પરંતુ સુશાંતનો ઈલાજ કરનાર ડોક્ટર રઝી અહમદને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તે સુસાઈડ કરી શકે છે. ડો. રઝીએ ઝારખંડમાં ફિલ્મ મહેન્દ્ર સિંહ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીની શૂટિંગ દરમિયાન જ્યારે સુશાંતને ઈન્ફેક્શમ થયું ત્યારે તેની સારવાર કરી હતી.
સુશાંતના કેસમાં રોજ નવો વળાંક
હવે તેના ડોક્ટરે કહ્યું વિશ્વાસ નથી આવતો કે તે સુસાઈડ કરી શકે
ડોક્ટરે સઘન તપાસની માંગ કરી
ડો. રઝીએ જણાવ્યું કે જ્યારે તે સુશાંતથી મળ્યો ત્યારે તેમને ખબર પડી કે તે ખૂબ જ ડાઉન ટૂ અર્થ વ્યક્તિ છે. કારણ કે જ્યારે ડો. રઝીની સુશાંત સાથે પહેલીવાર મુલાકાત થઈ જો તેમને ડર હતો કે તે આટલો મોટો સ્ટાર છે. પણ જ્યારે અમે મળ્યા ત્યારે તેણે ડોક્ટર પાસે સંપૂર્ણ ઈલાજ કરાવ્યો અને તેમનો આભાર માન્યો હતો.
ડો. રઝીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમને પણ એવું જ લાગે છે કે સુશાંતની મોતને લઈને વધુ સઘન તપાસ કરવાની જરૂર છે, કારણ કે તેમનું પણ માનવું છે કે, સુશાંત જેવો જીવંત વ્યક્તિ આવું પગલું ન ભરી શકે.
ડો. રઝીએ આગળ કહ્યું-કોરોના અને લોકડાઉનના આ સમયે લોકોના મન પર ખરાબ અસર પાડી છે અને લોકોના હતાશાનો ભાવ પેદા કરી દીધો છે. પરંતુ આ હકીકત નથી. તેમણે આગળ જણાવ્યું કે જ્યારે સુશાંતને કેટલાક સ્થાનિક વિષયો પર ફિલ્મ બનાવવાને લઈને કહેવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે ફિલ્મમાં કામ કરશે.