સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું કારણ શું છે? તેણે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી હતી, આ રહસ્ય હજી બહાર આવ્યુ નથી. જોકે, આ દરમિયાન સુશાંતની સારવાર કરનાર ડોક્ટર સુઝેન વોકરનું મુંબઈ પોલીસને આપેલું નિવેદન સામે આવ્યું છે. જે સુશાંતની મોત પહેલાંની તેની માનસિક સ્થિતિ અને એક્ટરની મોત પાછળના કારણનો એક અનુમાન જણાવે છે.
સુશાંતનો ઈલાજ કરી ચૂકેલા ડોક્ટરનો ખુલાસો
ડોક્ટર સુઝેન વોકરે 4 નવેમ્બર 2019ના રોજ સુશાંતને એપોઇન્ટમેન્ટ આપી હતી
સુશાંતનું એન્ગ્ઝાયટી લેવલ ખૂબ જ વધારે હતું
59 વર્ષીય ડોક્ટર સુઝેન વોકરે 16 જુલાઈએ મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું. ડોક્ટર સુઝેન વોકરે 4 નવેમ્બર 2019ના રોજ સુશાંતને એપોઇન્ટમેન્ટ આપી હતી. વોકરે ક્લિનિકમાં આવીને મળવાનું કહ્યું, પણ એ જ દિવસે શ્રુતિએ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દીધી. આ પછી 7 નવેમ્બર 2019ના રોજ રિયા ચક્રવર્તીએ ડોક્ટર સુઝેનને વોટ્સએપ પર સંપર્ક કર્યો અને સુશાંતની તબિયત માટે મદદ માંગી. રિયાએ કહ્યું કે સુશાંત ઘણી મુશ્કેલીમાં છે.
મેનેજરે એપોઇન્ટમેન્ટ બુક કરાવી પણ તે દિવસે સુશાંતની માનસિક સ્થિતિ વધુ બગડતા તે પહોંચી શક્યો નહીં. આ પછી રિયાએ બીજી એપોઇન્ટમેન્ટ બુક કરવાનું કહ્યું. પછી ડોકટરે 15 નવેમ્બર 2019ની એપોઇન્ટમેન્ટ આપી હતી પણ રિયાએ કહ્યું કે થોડી વહેલી એપોઇન્ટમેન્ટ મળી જાય તો સારું.
ડોક્ટરે રિયાને પૂછ્યું કે, સુશાંતને આપઘાતના વિચાર આવે છે કે નહીં, રિયાએ હા પાડી. તેણે ડોક્ટરને કહ્યું કે હાલમાં તે ડોક્ટર નિકિતા શાહ પાસેથી સારવાર લઈ રહ્યો છે. રિયા ચક્રવર્તીએ ડોક્ટર વોકરને આ વાત કહી. ડો. સુઝેને નિવેદનમાં કહ્યું- મને લાગે છે કે સુશાંતની તબિયત વધુ સીરિયસ છે અને તેને તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર છે. આ જ કારણથી મેં તેને 7 નવેમ્બર 2019એ સાંજે 4.45 વાગ્યે આવવાનું કહ્યું. પછી રિયા અને સુશાંત મારા ક્લિનિક આવ્યા.
ડોક્ટર સુઝેને આગળ કહ્યું- એ દિવસે હું પહેલીવાર સુશાંતને મળી. મેં રિયાને કહ્યું કે તે બહાર રાહ જુએ કારણ કે તે સુશાંત સાથે ક્લિનિકલ ડિસ્કશન કરવાની હતી. આ સેશનમાં મને જાણ થઈ કે, તેની એન્ગ્ઝાયટી એટલે કે ગભરામણ છેલ્લા 10 દિવસમાં ખૂબ જ વધી ગઈ હતી અને આ દવાઓ લીધા બાદ પણ સારું થઈ નહોતું રહ્યું.
A post shared by sushant's fan (@sushant_shingh_2020) on
2013-14માં સુશાંતને ગભરામણની સમસ્યા ખૂબ જ વધી ગઈ હતી, ત્યારે તેની ઉંમર નાની હતી. તે સપ્તાહમાં બેવાર એડેરોલ લેતો હતો, જેથી તેનું ફોકસ વધી શકે. તે ખૂબ જ શરમાળ હતો, જેથી તેના સર્કલમાં તેને ચિડવતા હતા. તે 15-16 વર્ષનો હતો ત્યારે તેની મોમનું પેનિક એટેકથી નિધન થઈ ગયું.
ડોક્ટર વોકરે કહ્યું કે સુશાંત તેની માતાની ખૂબ નજીક હતો અને તે પછી તે તેની બહેનોની નજીક હતો, પરંતુ મને નથી લાગતું કે તે તેના પિતાની નજીક હતો. સુશાંતે સ્પેસ, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વિશે વાત કરી. તેની વાત કરવાની રીત અને વ્યવહાર અજીબ અને ખૂબ જ ઝડપી હતો. જેના કારણે હું સમજી ગઈ કે તે બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે.
ડોક્ટર સુઝેને કહ્યું કે તેને જાણ થઈ કે સુશાંત છેલ્લા 20 વર્ષથી આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. સુશાંતે પોતે ડોક્ટર વોકરને કહ્યું હતું કે, તેને ખૂબ જ નાની વયથી આ સમસ્યાઓ થઈ રહી હતી. તેને 2013 અને 2014ની વચ્ચે સમાન લક્ષણો ફીલ કર્યા હતાં. દરેક વખતે આ લક્ષણો પહેલાં કરતાં વધુ તીવ્ર બન્યા હતા.