સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ્સ મુજબ તે 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુંશાતની મોત બાદ કેટલાક લોકો એક્ટ્રેસ અંકિતા લોખંડે, રિયા ચક્રવર્તીને ટ્રોલ કરી રહ્યાં છે. તો હવે તારક મહેતા ફેમ મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ સોશિયલ મીડિયા પર લોકોના આવા બિહેવિયરને લઈને નિવેદન આપ્યું છે.
સુશાંત સાથે જોડાયેલી એક્ટ્રેસિસને ટાર્ગેટ કરવા પર મુનમુન ઘણી દુઃખી છે. તો મુનમુને એક પોસ્ટ કરી છે જેમાં તેણે લખ્યું- આ મહામારીએ સૌથી વધુ ફ્લેક્સિબલ લોકોને પ્રભાવિત કર્યા છે અને કેટલીક સીરિયસ મેન્ટલ તકલીફોને જન્મ આપ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર આપણા વ્યવહારને લઈને હું હેરાન છું. રિયા ચક્રવર્તી, કૃતિ સેનન અને અંકિતા લોખંડે માટે લોકો અસંવેદનશીલ, ચોંકાવનારી અને અશ્લીલ ટિપ્પણી કરી રહ્યાં છે. આ આપણાં સમાજની માનસિક સ્થિતિ દર્શાવે છે અને દર્શાવે છે કે, સોશિયલ મીડિયા પર લોકો કેટલા ઝેરીલા છે.
મુનમુને આગળ કહ્યું- આ છોકરીઓ અને સુશાંતના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો પહેલાં જ એટલા પરેશાન હશે અને આ લોકો પોતાની ગંદી ટિપ્પણીઓથી તેમને વધુ પરેશાન કરી રહ્યાં છે. આ ઝેરીલા લોકો કોણ છે. શું એ લોકોમાંથી કોઈ સુશાંતની વધુ નજીક હતા? તમે લોકો બસ તેને તેના કામથી ઓળખતા હતા. પણ આ એક્ટ્રેસિસે અને તેના નજીકના લોકોએ તેની સાથે જીવનના ઘણાં પળ શેર કર્યા છે. તો એ લોકોને શીખવાડવાની જરૂર નથી કે, કંઈ રીતે દુઃખ વ્યક્ત કરવું.
મુનમુને આગળ કહ્યું- આ પ્રકારનો દુર્વ્યવહાર સંપૂર્ણ રીતે ગેરકાયદેસર અને દંડનીય બનાવવું જોઈએ. લોકો ભૂલી જાય છે કે, પ્રખ્યાત સેલેબ્સ પણ માણસો જ છે અને આવી વિષાક્ત, અશ્લીલ, અસંવેદનશીલ ટિપ્પણીઓ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સુશાંતની મોત સમગ્ર દેશ માટે આઘાતજનક છે, જે ડિપ્રેશનની સમસ્યાનું વિકરાળ સ્વરૂપ દર્શાવે છે. જેની લોકો હમેશાં અદેખાઈ કરે છે અને લોકો માનસિક બીમારી વિશે વાત કરતાં નથી. પ્લીઝ લોકો પ્રત્યે સંવેદનશીલ બનો.