મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે. પોસ્ટમોર્ટની ડિટેલ રિપોર્ટ પણ પોલીસને પ્રાપ્ત થઇ ચુકી છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનો અભિપ્રાય પણ પોલીસ જાણી ચુકી છે અને સુશાંત સિંહની લાશ જે રૂમમાંથી મળી હતી તે રૂમ, પંખા, બેડ અને જ્યાંથી ગળે ફાંસો ખાધો તેની ઊંચાઇ, ઉઁડાણ પણ પોલીસે માપી લીધું છે અને ફાઇનલ રિપોર્ટની પહેલા વિસરાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે જે આગામી એકાદ-બે અઠવાડિયામાં આવી જશે.
સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ લગભગ પૂર્ણ
મુંબઇ પોલીસે કહ્યું સુશાંતે આત્મહત્યા જ કરી છે
પોલીસ તપાસનું પરિણામ - આત્મહત્યા. ઘટના સ્થળ પરથી મળેલા પુરાવાનો ઇશારો- આપઘાત, અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં મળેલી સફળતા - આત્મહત્યા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ અંગે તેના ચાહકો અને જે કોઇપણ સવાલ ઉભા કરી રહ્યા હોય, પરંતુ મુંબઈ પોલીસ અત્યાર સુધીની તપાસ બાદ તે જ તારણ પર આવી છે કે સુશાંત સિંહના મોત પાછળ કોઈ ષડયંત્ર નથી. પરંતુ તે આત્મહત્યાનો એક સીધો-સાદો કેસ છે.
મુંબઇ કરી રહી છે હાઇ પ્રોફાઇલ કેસની તપાસ
જો કે, મુંબઇ પોલીસ એ વાત પણ જાણે છે કે આ મામલો હાઇ પ્રોફાઇલ છે. જો કે, પરિણામ સુધી પહોંચ્યા પહેલા તમામ મામલાની તપાસ કરી. બકૌલ મુંબઇ પોલીસે તપાસ દરમિયાન એવી ચીજ વસ્તુ સામે આવે ત્યારબાદ શંકાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી.
અંદરથી બંધ હતો દરવાજો
સુશાંતસિંહ રાજપૂતે જે રૂમમાં આત્મહત્યા કરી હતી તે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. સુશાંતના ઘરે હાજર તેના ત્રણ મિત્રો અને મિત્રો ઉપરાંત ખુદ સુશાંતની એક બહેન પણ છે, જે મુંબઇમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર સુશાંતની બહેન સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેણે પણ દરવાજો ખોલવાનો ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને ખુલ્યો નહોંતો.
બેડ અને પંખા વચ્ચે એક ઇંચનું અંતર
સુશાંતની જે રૂમમાં લાશ મળી આવી તે રૂમમાં છત પંખાની મોટર અને પલંગની વચ્ચેનું કુલ અંતર 5 ફુટ 11 ઇંચ હતું. જ્યારે સુશાંતની ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ હતી. એટલે કે બેડ પર ઉભા થયાં પછી સુશાંત અને પંખા વચ્ચે માત્ર 1 ઇંચનો ફરક છે.
વિસરાના રિપોર્ટની રાહ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક એક્સપર્ટ અને અત્યાર સુધીમાં લગભગ 30 લોકોની જુબાની બાદ મુંબઇ પોલીસ તપાસનો નિચોડ એ છે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. પરંતુ તેનો અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલા પોલીસ વિસરા રિપોર્ટની રાહ જોઇ રહી છે. જે જુલાઈના બીજા કે ત્રીજા સપ્તાહમાં અપેક્ષિત છે. વિસેરા રિપોર્ટ આવે ત્યાં સુધી પોલીસ અંતિમ અહેવાલ રજૂ કરશે નહીં.