સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ તેના પરિવારને મળવા બોલિવૂડ એક્ટર શેખર સુમન તેના પટના સ્થિત ઘરે પહોંચ્યા હતા. અહીં શેખરે સુશાંતના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને શ્રદ્ધાજંલિ આપી હતી. શેખર સુમન આ કેસમાં સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે. પટનામાં સુશાંતના પરિવાર સાથે મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં શેખરે ઘણાં સવાલો ઉઠાવ્યા છે.
સુશાંતની મોતનું રહસ્ય અકબંધ
શેખર સુમને તેની મોતને લઈને ઉઠાવ્યા ચોંકાવનારા સવાલો
શેખરે કહ્યું સુશાંતે કેમ 50 સિમ કાર્ડ બદલ્યા હતા
શેખર સુમનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મીડિયા સાથે વાત કરતા શેખર કહી રહ્યાં છે કે, સુશાંતની મોત બાદ ત્યાં કોઈ સુસાઈડ નોટ મળી નહીં. જો સુસાઈડ નોટ મળી હોત તો આ ઓપન અને શટ કેસ હોત. એ જ સમયે આ કેસ ખતમ થઈ જતો. પણ સુસાઈડ નોટ નથી મળી તેના કારણે ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે.
શેખર આગળ કહે છે-એ યુવક જે રાતે પાર્ટી કરી રહ્યો હોત, સવારે ઉઠીને પ્લે સ્ટેશન રમી રહ્યો હતો, એક ગ્લાસ જ્યૂસ મંગાવે છે. આવીને બેસે છે તો તેના મનમાં અચાનક એવી શું વાત આવે છે કે, તેને લાગે છે કે ચલો હવે સુસાઈડ કરી લઈએ. આ વાત ગળે ઉતરતી નથી. સીસીટીવી કેમરા સાથે છેડછાડ, તેણે ગયા મહિને જ લગભગ 50 સિમ કાર્ડ ચેન્જ કર્યા હતા તો આખરે તેણે આટલા બધાં સિમ કાર્ડ ચેન્જ કેમ કર્યા. સિમ કાર્ડ કોઈ ક્યારે ચેન્જ કરે છે, જ્યારે તે કોઈને અવોઈડ કરવાની કોશિશ કરે છે, કોઈનાથી બચવાની કોશિશ કરે છે. જ્યારે કોઈ ધમકી આપવામાં આવી રહી હોય, અથવા તો કોઈ ડરને કારણે સિમ કાર્ડ ચેન્જ કરે છે.
શેખર આગળ કહે છે કે, સુશાંતે જ્યાં ગળે ફાંસો ખાધો હતો તેની હાઈટ પણ ઓછી છે. મુંબઈમાં છત એટલી ઊંચી નથી હોતી. જેથી 6 ફૂટનો વ્યક્તિ જ્યારે બેડ પર ચઢીને લટકે તો વચ્ચે એટલી જગ્યા રહેતી જ નથી. પહેલાં કોઈ કપડાંથી પછી બાથરોબ અને પછી કુરતાની લટકીને ગળે ફાંસો ખાધો હોવાની વાતો સામે આવી રહી છે.
શેખરે આગળ કહ્યું, એક બહુ જ મહત્વપૂર્ણ પોઈન્ટ પણ સામે આવી રહ્યો છે કે, સુશાંતના ગળામાં જે લાલ નિશાન છે તે જો કુરતાથી થયું હોય તો પહોળો નિશાન થવો જોઈએ. જ્યારે તેના ગળામાં દોરડાથી લટક્યો હોય એવો નિશાન દેખાય છે અને જ્યારે કોઈ સુસાઈડ કરે છે ત્યારે ગળા પર વીનું નિશાન બને છે કારણ કે દોરડું ઉપરની તરફ હોય છે. હું કોઈ ફોરેન્સિક એક્સપર્ટ નથી અને ના તો હું સીબીઆઈ તરફથી કહી રહ્યો છું. હું તો બસ એ જ કહી રહ્યો છે જે સવાલો આજકાલ દરેકના મગજમાં છે.