સુંશાંત સિંહ રાજપૂતના મોતના મામલા માં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરી છે. એનસીબીની ટીમે મુંબઈ અને ગોવામાં મોટા પાયે છાપા માર્યા છે. એનસીબી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાનુંસાર બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનને લઈને અનેક જગ્યાએ રેડ પાડી છે.
અભિનેતા સુંશાતસિંહ રાજપૂતના મોતનો મામલો
ડ્રગ્સ કનેક્શન મામલે NCBના દરોડા
ડ્રગ્સ કનેક્શન મામલે મુંબઇ-ગોવામાં દરોડા
મળતી માહિતી મુજબ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો ડ્રગ્સ મામલે અત્યાર સુધીમાં જે જે લોકોની પુછપરછ કરી છે, તેમણે આ સમગ્ર નેટવર્કની જાણકારી એનસીબીને આપી દીધી છે. એનસીબીના સૂત્રો દ્વારા પહેલા આ વાતની જાણકારી આપી દેવેમાં આવી હતી કે હજું આ મામલામાં વધુ મોટા ચહેરા સામે આવી શકે છે અનેક લોકોની ધરપકડ થઈ શકે છે.
મળતી માહિતી મુજબ મુંબઈ અને ગોવામાં જે રેડ મારવામાં આવી છે તે ધડપકડ કરાયેલા અનુજ કેશવાનીએ આપેલી માહિતીના આધારે થઈ છે. મોટા ભાગના 6 લોકેશન પર રેડ ડ્રગ્સ પેડલરના ઠેકાણા પર થઈ છે. આ મામલામાં અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અનુજ કેશવાનીને રિયાના ડ્રગ્સ કનેક્શન દરમિયાન પકડવામાં આવ્યો હતો. અનુજે પુછપરછમાં અનેક નામના ખુલાસા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ધરપકડ કેઝાન ઈબ્રાહિમની ઈન્ફરમેશન પર થઈ છે.
ઉલ્લેખનીય છે કે 23 વર્ષના અબ્દુબ બાસિત પરિહાર અને 21 વર્ષના આરોપી જૈદ વિલાત્રાને શૌવિક ચક્રવર્તી અને સૈમ્યુલ મિરાંડાની કલાકો સુધી પુછપરછ બાદ પકડ્યા હતા.