સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં જોડાયેલા ડ્રગ્સ મામલે જામીન પર છૂટેલી રિયા ચક્રવર્તીને જેલમાંથી બહાર આવ્યાને ચાર દિવસ થઈ ગયા છે. ત્યારે રિયાના વકીલે દાવો કર્યો છે કે, સુશાંતની મોત મામલે રિયા તેની સામે ખોટાં અને ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે, 8 સપ્ટેમ્બરે એનસીબીએ ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ કરી હતી. ત્યારે હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે તેને શરતી જામીન આપ્યા છે.
8 સપ્ટેમ્બરે એનસીબીએ ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ કરી હતી
રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનેશિંદેએ રવિવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે 'મેં કહ્યું હતું કે એકવાર રિયા ચક્રવર્તી જામીન પર છૂટી જાય પછી અમે એવા લોકો સામે કાર્યવાહી કરશે જેમણે બે મિનિટ તેની લોકપ્રિયતા માટે ઈલેક્ટ્રોનિક મીડિયાની મદદથી તેને બદનામ કરી. અમેસીબીઆઈ માટે ટીવી અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર આ કેસમાં ખોટા દાવા કરનારાઓની લિસ્ટ તૈયાર કરીશું, જેમણે ટીવી અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર આ મામલે ખોટાં દાવા કર્યા હતા.તેમાં સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીના વિશેષ સંદર્ભ સાથે મોબાઈલ રેકોર્ડિંગ્સ અને ખોટી કહાનીઓ સામેલ છે. અમે તપાસને ગેરમાર્ગે દોરવા માટે આવા લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા સીબીઆઈને વિનંતી કરીશું.
વકીલએ આ કેસમાં ખાસ રિયા ચક્રવર્તીની પાડોશી ડિમ્પલ થવાનીનું નામ લીધું છે. જેણે કથિત રીતે કોઈને જણાવ્યું હતું કે, 13 જૂને સુશાંત રિયાને ઘરે મૂકવા આવ્યો હતો. વકીલે કહ્યું કે, સીબીઆઈએ રવિવારે તેનું નિવેદન નોંધ્યું હતું. તમને જણાવી દઈએ કે, સુશાંતના પરિવાર અને સીબીઆઈ દ્વારા રિયા પર આત્મહત્યાના આરોપ સહિત મની લોન્ડ્રિંગના આરોપો પર પણ પૂછપરછ કરવામાં આવી હતી.
સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો હતો કે રિયા ચક્રવર્તીએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે.