બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ રોજ આ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંતની મોતના દિવસે તેના ઘરે બે એમ્બ્યુલન્સ કેમ પહોંચી, આ વાતને લઈને ઘણાં સમયથી અટકળો ચાલી રહી છે. જોકે, હવે આ કેસમાં એમ્બ્યુલન્સના માલિકનું નિવેદન બહાર આવ્યું છે. એમ્બ્યુલન્સના માલિકે હવે આ મામલે આપી છે અને તેનાથી અન્ય કેટલાક લોકો પણ શંકાના ઘેરામાં આવી ગયા છે.
સુશાંતના કેસમાં રોજ નવા ખુલાસા
તેની મોતના દિવસે બે એમ્બ્યુલન્સ પહોંચી હતી
આ વાતને લઈને હવે એમ્બ્યુલન્સના માલિકનું નિવેદન સામે આવ્યું છે
એમ્બ્યુલન્સના માલિક વિશાલે જણાવ્યું કે, 14 જૂને સુશાંતસિંહ રાજપૂતનું નિધન થયું ત્યારે તે દિવસે બે એમ્બ્યુલન્સ તેના ઘરે પહોંચી હતી. તેના કહેવા મુજબ, જે પહેલા એમ્બ્યુલન્સ પહેલાં ગઈ હતી તેમાં સ્ટ્રેચર ખરાબ હતું, જેથી તરત જ બીજી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. વિશાલે કહ્યું- આ જ કારણ છે કે સુશાંતના મૃતદેહને ત્યાંથી કાઢવામાં વધુ સમય લાગ્યો. તેણે સ્વીકાર્યું કે એક જ સ્થળે બે એમ્બ્યુલન્સ પહોંચવાથી સવાલ ઊભા થયા હતા.
વિશાલે જે જાણકારી આપી છે, તેમાં સૌથી હેરાન કરનારી વાત એ છે કે સુશાંતના મિત્ર સંદીપ કે જે સતત આ વાતનો દાવો કરી રહ્યો છે કે તેણે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પૈસા આપ્યા હતા, આ વાત એકદમ ખોટી છે. વિશાલે જણાવ્યું કે, તેને પૈસા સુશાંતના મેનેજર સેમ્યૂલ મિરાંડાએ આપ્યા હતા. વિશાલે જણાવ્યું કે, તેને સેમ્યૂલ મિરાંડાએ 8100 રૂપિયા આપ્યા હતા. વિશાલે કહ્યું કે, સંદીપે તેમને પૈસા નથી આપ્યા.
નોંધપાત્ર છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈ બાદ હવે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પણ જોડાઈ ગયું છે. એવામાં એનસીબીના ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ આ સમગ્ર મામલામાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી)ની તપાસમાં સામે આવેલા કેટલાક તથ્યોનો ખુલાસો કર્યો છે. ઈડીને એ વાતના પુરાવા મળ્યા છે કે રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું.