સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એકતા કપૂર સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. બિહારના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ ષડયંત્ર રચીને સુશાંતને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાની કેસ દાખલ કર્યો છે. જેથી એકતા કપૂર ભડકી છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢ્યો છે.
સુશાંતની મોત પાછળની ગુત્થીનો ઉકેલ લાવવામાં પોલીસ લાગી ગઈ છે
ત્યારે એકતા સહિત 8 લોકો પર કેસ થતાં ભડકી
એકતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કાઢ્યો બળાપો
I have filed a case against 8 people including Karan Johar, Sanjay Leela Bhansali, Salman Khan & Ekta Kapoor under Sections 306, 109, 504 & 506 of IPC in connection with actor Sushant Singh Rajput's suicide case in a court in Muzaffarpur, Bihar: Advocate Sudhir Kumar Ojha pic.twitter.com/9jNdqvXVKr
એએનઆઈએ એક ટ્વિટ કરીને જણાવ્યું કે, બિહારમાં એડવોકેટ એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ એકતા કપૂર, કરણ જોહર, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, સાજિદ નડિયાદવાલા, ભૂષણ કુમાર, આદિત્ય ચોપરા અને ડિરેક્ટર દિનેશ પર કલમ 306. 109, 504 અને 506 હેઠળ કેસ કર્યો છે. આ કેસ બિહારના મુઝફ્ફરપુરની અદાલતમાં દાખલ કરવામાં આવ્યો છે અનેઆ મામલે કોર્ટ 3 જુલાઈએ સુનાવણી હાથ ધરશે.
આ રીતે FIR થતાં ટીવીની ક્વીન અને સુશાંતને લોન્ચ કરનાર એકતા કપૂર ભડકી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું- સુશીને કાસ્ટ નહીં કરવા માટેનો કેસ કરવા બદલ આભાર. હકીકતમાં મેં જ તેને લોન્ચ કર્યો હતો. થિયરીને કેવી રીતે ગૂંચવીને રજૂ કરી શકાય છે તે જાણીને હું દુઃખી છું. મહેરબાની કરીને પરિવાર અને મિત્રોને શાંતિથી શોક મનાવવા દો. સત્ય જીતશે. આ વિશ્વાસમાં નથી આવતું.