સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈ જલ્દી આઈપીસીની કલમ 302 (હત્યા) ઉમેરી શકે છે. સુશાંતના મોતની તપાસમાં એમ્સે સીબીઆઈને વિસેરા રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટને જોતા તપાસ આગળ વધી છે. આ તપામાં સીબીઆઈ સુશાંતના મેનેજર સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજને સરકારી સાક્ષી બનાવી શકે છે.
મોતના એક દિવસ પહેલા રિયા સુશાંતને મળવા ગઈ હતી
સુશાંતના મેનેજર સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજને સરકારી સાક્ષી બની શકે
સુશાંતે આત્મહત્યા સામાન્ય નહોતી
ઉલ્લેખનીય છે કે એમ્સની રિપોર્ટમાં એ વાત કરવામાં આવી છે કે તેના વિસેરામાં કોઈ ઝેરના પુરાવા મળ્યા નથી. જો કે એમ્સની રિપોર્ટમાં અનેક એવા તથ્ય છે જે સંકેત આપે છે કે સુશાંતે આત્મહત્યા સામાન્ય નહોતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગળામાં લિગેચર માર્ક સામાન્ય આત્મહત્યા જેવા નહોતા. વિસેરામાં ડ્રગ્સને લઈને કોઈ પુરાવા મળ્યા નથી.
મુંબઈના બીજેપી સેક્રેટરી અને એડવોકેટ વિવેકાનંદે કહ્યું તે એક નજરે જોનારનો દાવો છે કે સુશાંત મોતના એક દિવસ પહેલા રિયા સુશાંતને મળવા ગઈ હતી. એ બાદ સુશાંત તેને ઘરે મુકવા ગયા હતા. રિયા 8 જૂન બાદ સુશાંતને ન મળી હોવાનો દાવો ખોટો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ પિઠાનીને સુશાંતના ઘરની તમામ માહિતી રહેતી હતી. સુશાંતની મોતના એક દિવસ પહેલા તેને મળવા કોણ કોણ આવ્યુ હતુ. સુશાંત અને રિયા છેલ્લે ક્યારે મળ્યા હતા. તમામ માહિતી સિદ્ધાર્થે સીબીઆઈને આપી છે. સિદ્ધાર્થની જેમ સુશાંતનો કુક નિરજ પણ આ કેસમાં મહત્વની કડી છે. ત્યારે મનાઈ રહ્યું છે કે સીબીઆઈ સિદ્ધાર્થ અને નીરજને સરકારી સાક્ષી બનાવી શકે છે.