સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચેનો અણબન ખૂલીને સામે આવી છે. નોંધનીય છે કે સુશાંત કેસમાં બિહાર પોલીસ સતત આરોપ લગાવી રહી છે કે મહારાષ્ટ્ર પોલીસ તેમને મદદ નથી કરી રહી. આ કેસમાં બન્ને રાજ્યોની વચ્ચેનો અણબનાવ સ્પષ્ટ રીતે સામે આવ્યો છે. ત્યારે આ કેસમાં રવિવારે પટનાથી મુંબઈ આવેલા એસપી સીટી વિનયને બીએમસીના અધિકારીઓએ ક્વોરેન્ટાઈન કર્યા છે.
રવિવારે પટનાથી એસપી સિટી વિનય તિવારી મુંબઈ પહોંચ્યા હતા
બિહાર અને મુંબઈ પોલીસની વચ્ચે તપાસને લઈને છે મતભેદ
વિનંતી છતાં આઈપીએસ મેસ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી
બિહારના ડીસીપી ગુપ્તેશ્વર પાંડેએ ટ્વીટ કરી કહ્યું કે આજે (2 ઓગસ્ટ) આઈપીએસ વિનય તિવારી ઓફિશિયલી ડ્યૂટી પર પટનાથી મુંબઈ પહોંચ્યા પરંતુ રવિવારે રાતે 11 વાગે બીએમસી અધિકારીઓએ જબરજસ્તી તેમને ક્વોરેન્ટાઈન કર્યા હતા. તેમની વિનંતી છતાં આઈપીએસ મેસ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. તે ગોરેગાંવના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા છે.
IPS officer Binay Tiwari reached Mumbai today from patna on official duty to lead the police team there but he has been forcibly quarantined by BMC officials at 11pm today.He was not provided accommodation in the IPSMess despite request and was staying in a guest house in Goregaw pic.twitter.com/JUPFRpqiGE
— IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020
સુશાંત કેસમાં સતત બે રાજ્યોની પોલીસ વચ્ચેના મતભેદમાં સતત સીબીઆઈની માંગ થઈ રહી છે. મુંબઈ પહોંચેલા વિનય તિવારીએ કહ્યું કે અમારી ટીમ મુંબઈમાં સારુ કામ કરી રહી છે. છેલ્લા એક અઠવાડીયામાં ડઝન નિવેદન નોંધવામાં આવ્યા છે .જો કે હજું સુધી સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી નથી.
બીજી તરફ સુશાંત કેસમાં મુંબઈ કમિશ્નર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તેમ કેસની અપડેટ્સ આપી હતી. વિનયનાં મુંબઈ પહોંચતાની સાથે અનિલ દેશમુખે ટ્વીટ કરી કહ્યું કે ભલે બિહાર પોલીસે પટનામાં કેસ દાખલ કર્યો હતો. મુંબઈ પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી લીધી હતી.