ખુલાસો / સુશાંતસિંહ રાજપૂતનો આપઘાત કેસ, હવે એમ્બ્યુલન્સ અટેન્ડન્ટે કર્યો આ ચોંકાવનારો ખુલાસો

Sushant Singh Rajput Dead Body Turned Yellow Legs Were Bent Claims Ambulance Attendant

સુશાંત સિંહ રાજપૂતના કહેવાતા આત્મહત્યાને લઈને તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે સીબીઆઈના પ્રશ્નોના જવાબ આપવામાં પણ રિયા નાકામયાબ રહી છે. આ સમયે કેસ સાથે જોડાયેલી અન્ય અનેક વાતો સામે આવી રહી છે. જેમાં હવે સુશાંતની ડેડ બોડીને લઈ જનારા એમ્બ્યુલન્સ એટેન્ડન્ટે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે જ્યારે અમે સુશાંતને લેવા પહોંચ્યા ત્યારે તેનું શરીર પીળું પડી ગયું હતું અને તેના પગ પણ વળી ગયા હતા. મેં અગાઉ આત્મહત્યાના અનેક કિસ્સા જોયા છે પણ તેમાં શરીર પીળું પડતું નથી. સુશાંત સિંહ રાજપૂતના ગળાના ભાગે પણ કેટલાક નિશાન અંગે તેણે શંકા વ્યક્ત કરી હતી. સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસ હવે એમ્બ્યુલન્સ અટેન્ડન્ટ આવ્યો સામે સુશાંતનું શરીર પીળુ પડી ગયું હોવાનો દાવો સુશાંતના પગ વળી ગયા હોવાનો પણ દાવો એમ્બ્યુલન્સ એટેન્ડન્ટે કહી આ વાત એમ્બ્યુલન્સ એટેન્ડન્ટે જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના રૂમમાં પહોંચીને તેઓએ જોયું તો તેઓ બેડ પર પડ્યા હતા. તેના કહેવા અનુસાર સુશાંતનું શરીર પીળું પડી ગયું હતું. તેણે પહેલાં આત્મહત્યા કરનારનું પીળું પડેલું શરીર ક્યારેય જોયું નથી. તેઓએ કહ્યું કે સુશાંતના પગ પર પણ કેટલાક નિશાન હતા અને તે વળી ગયા હતા. સુશાંતના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. આ સાથે જ તેના ગળાના ભાગે પણ નિશાન જોવા મળ્યા હતા. એટેન્ડન્ટે કહ્યું કે તેની પર પોલીસનો દબાવ હોવાના કારણે આ વાત જણાવી ન હતી.

બ્રેકિંગ ન્યૂઝ