બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના જ ઘરમાં ગળેફાંસો લગાવી આત્મ હત્યા કરી છે.
સુશાંતનાં નોકરે પોલીસને આપી માહિતી
મુંબઈ પોલીસ તપાસ કરવા ઘરે પહોંચી
ગળેફાંસો કરી મોતને વ્હાલું કર્યું
મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી
બોલિવૂડને રવિવારે સૌથી મોટી ચોંકાવનારી બાબત સામે આવી છે. પ્રસિદ્ધ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. સુશાંતે કેમ આ પગલું ભર્યું તેની કોઈ જાણકારી આવી નથી. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી છે. અહેવાલ અનુસાર સુશાંતનાં નોકરે પોલીસને ફોન કરીને માહિતી આપી હતી.
પવિત્ર રિશ્તાથી તેમને દેશભરમાં એક ઓળખ મળી
સુશાંત બોલિવૂડમાં ખૂબ લોકપ્રિય એક્ટર હતા કરિયરની શરૂઆત તેમણે ટીવી એક્ટરના રૂપમાં જ કરી હતી. તેમણે સૌથી પહેલા કસી દેશ મેં મેરા દિલ નામની સિરિયલમાં કામ કર્યું અને પવિત્ર રિશ્તાથી તેમને દેશભરમાં એક ઓળખ મળી ગઈ. જે બાદ ફિલ્મોમાં પણ સુશાંતે ધમાકેદાર એન્ટ્રી કરી. ફિલ્મોમાં તેમના અભિનયની ખૂબ ચર્ચા પણ કરવામાં આવી.
તેમની છેલ્લી ફિલ્મ કેદારનાથ હતી
દેશી રોમાંસમાં પરિણીતી ચોપરા સાથે કામ કર્યું પરંતુ સૌથી વધુ ચર્ચા તેમની ભારતીય ટીમના કેપ્ટન એમ એસ ધોની ફિલ્મથી મળી. આ પહેલી એવી ફિલ્મ હતી જેમાં તેમણે સો કરોડથી વધુનું કલેક્શન કર્યું. આ સિવાય છીછોરે ફિલ્મનાં પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ કેદારનાથ હતી જેમાં તેઓ સારા અલી ખાન સાથે દેખાયા હતા.
નોંધનીય છે કે બોલિવૂડમાં કેટલાક દિગ્ગજ કલાકારોએ થોડા સમયમાં અલવિદા કહી દીધું છે. એપ્રિલ મહિનામાં ઇરફાન ખાન અને ઋષિ કપૂર જેવા પ્રસિદ્ધ કલાકારોનું નિધન થયું અને હાલમાં જ ગાયકકલાકાર વાજીદ ખાનનું 42 વર્ષની વયે જ નિધન થયું.