સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મુંબઈ પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસ નાનામાં નાના પુરાવા શોધવાના પ્રયાસોમાં લાગેલી છે. જેથી જાણી શકાય કે આખરે સુશાંત આત્મહત્યા જેવું મોટું પગલું કેમ ભર્યું.
સુશાંતના કેસની પોલીસ દરેક એંગલથી કરી રહી છે તપાસ
પોલીસ પુરાવા શોધવામાં લાગેલી છે
તો હવે પોલીસ સુશાંતના મિસિંગ ટ્વિટ્સની સચ્ચાઈ જાણશે
પોલીસના સૂત્રો મુજબ, ઈન્વેસ્ટિગેશન ટીમ સુશાંતના ટ્વિટર એકાઉન્ટની તમામ એક્ટિવિટી વિશે જાણવા માટે ટ્વિટર ઈન્ડિયાનો સંપર્ક કરશે. એવા સમાચાર હતા કે, સુશાંતે સુસાઈડ પહેલાં તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ટ્વિટ્સ કર્યા હતા અને પછી તે ડિલીટ કરી નાખ્યા હતા. આ વાત પાછળનું સત્ય જાણવા માટે હવે પોલીસ ટ્વિટર ઈન્ડિયાનો કોન્ટેક્ટ કરશે. એક્ટરના એકાઉન્ટ પર 27 ડિસેમ્બર 2019એ છેલ્લુ ટ્વિટ બતાવી રહ્યું છે.
આ સિવાય જે વેબસાઈટએ સુશાંતના સુસાઈડથી જોડાયેલી થિયરી લખી છે. તેમને પણ નોટિસ મોકલવામાં આવશે. પોલીસ વેબ પોર્ટલથી પૂછશે કે કયા આધાર પર અથવા કયા સૂત્રોના હવાલાથી તેમણે સુશાંત અંગેની આવી સ્ટોરી પબ્લિશ કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પોલીસે સુશાંત કેસમાં 23 લોકોની પૂછપરછ કરીને તેમનું નિવેદન નોંધ્યું છે.
તમને જણાવી દઈએ કે, બુધવારે પોલીસે સુશાંતના ફાઈનાન્શિયલ મેટરને હેન્ડલ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટથી પણ પૂછપરછ કરી હતી. ત્યારે હવે સુશાંતની ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શ્વાસ રૂંધાવાને કારણે એક્ટરનું મોત થયું છે. સુશાંતના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા. સાથે જ તેના નખ પણ એકદમ સાફ હતા. પીએમ રિપોર્ટમાં સુશાંતની મોતનું કારણ સુસાઈડ જ બતાવવામાં આવ્યું છે.