બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવા બધાં હચમચી ગયા હતા. મુંબઈ પોલીસ એક્ટરની મોતના કેસની તપાસમાં લાગેલી છે અને અત્યાર સુધી 34 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. જ્યારે સુશાંતના ફેન્સ સતત તેની મોતને લઈને સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યાં છે. તો હવે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતની આત્મહત્યા કેસમાં CBI તપાસ માટે તમામ જરૂરી દસ્તાવેજોની તૈયારી કરવા માટે એક વકીલને નિયુક્ત કર્યા છે.
સુશાંતના કેસમાં નવો વળાંક
સુશાંતના ફેન્સ સતત તેની મોતને લઈને સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યાં છે
તો હવે ભાજપ સાંસદ સુબ્રમણ્યમે સુશાંતની આત્મહત્યા કેસમાં CBI તપાસ માટે વકીલ નિયુક્ત કર્યો
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું- મેં ઈશકરણને સુશાંતની આત્મહત્યા કેસમાં CBI તપાસ અથવા PIL કે પછી ગુનાહિત ફરિયાદ માટે પ્રોસેસ શરૂ કરવા માટે કહ્યું છે. તેમણે પોતાની ટ્વિટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે, ઈશકરણ સિંહ ભંડારી CBI તપાસ અથવા PIL કે ગુનાહિત ફરિયાદ માટે તમામ ડેટા એકઠાં કરશે.
I have asked Ishkaran to look into facts of Sushant Singh Rajput death case & see whether it's a fit Case for CBI investigation. Then accordingly to see justice is done. For Updates follow @ishkarnBHANDARI
બીજી તરફ ટ્વીટર પર CBIForSonOfBihar ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે ઈશકરણે ટ્વિટ કરીને લોકોને રિલેવન્ટ ઈન્ફોર્મેશન જ શેર કરવાની અપીલ કરી છે. વકીલે કહ્યું, જો પુરાવા પુખ્તા હોય તો જ કોર્ટ જવાય. તમે તમારા પ્રેમમમાં, દુઃખમાં જો 20-20 વખત એવી વસ્તુઓ મને મોકલશો જે રિલેવન્ટ નથી તો હું તેને વાંચી નહીં શકું અને અગત્યની બાબતો છૂટી જશે. કેસ ઈમોશન્સથી નહીં પણ કાયદાથી જીતાય છે.
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 9, 2020
સુશાંતની આત્મહત્યાના સંબંધમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સંભવિત સીબીઆઈ તપાસ માટે ઉઠાવેલાં પગલાંની ટ્વિટર પર ખૂબ પ્રસંશા થઈ રહી છે. લોકો સુબ્રમણ્યમનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, લોકો બોલિવૂડમાં નેપોટિઝ્મ અને ગ્રુપિઝ્મને સુશાંતીની મોત પાછળનું કારણ માની રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ નેપોટિઝ્મ અંગે તમામ સેલેબ્સ પોતાનો મત જાહેર કરી ચૂક્યા છે.