સુશાંત સિંહ કેસમાં પત્રકાર અર્ણબ ગોસ્વામી મહારાષ્ટ્ર સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે ફરીએક વાર લાઈવ શોમાં અર્ણબે ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે રોકી શકો તો રોકી તમારી પાસે એક કલાક છે.
દિશા સાલિયાનની હત્યા થઇ હોવાનો કરાયો દાવો
હું તો દરરોજ નવા પૂરાવા આપતો જ રહીશ : ગોસ્વામી
અનિલ દેશમુખ રિપબ્લીક બંધ કરાવવા માંગે છે : ગોસ્વામી
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે રિપ્લબ્લીક ટીવી પર દરરોજ ડિબેટ જોવા મળતી હોય છે. અર્ણબ ગોસ્વામી આ કેસમાં પહેલાથી જ ખૂબ વધારે આક્રમક જોવા મળી રહ્યા છે. એવામાં દિશા સાલિયાન કેસમાં પણ તે ઉદ્ધવ સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
અર્ણબ ગોસ્વામીએ દાવો કર્યો કે દિશાની હત્યા કરવામાં આવી છે. અને તેના લિન્ક સુશાંતની મોત સાથે છે. તેમને કહ્યું કે દિશાની હત્યા પહેલા તેને પજવવામાં આવી અને મારવામાં આવી. તેમનો દાવો છે કે દિશાના શરીર પર ઇજાના નિશાન હતા જેના પર મુંબઈ પોલીસ પડદો પાડી રહી છે। દિશાના બોયફ્રેન્ડ રોહન રાયને પોલીસ જ છુપાવી રહી છે અને તેના કારણે જ અનિલ દેશમુખ રિપબ્લીક બંધ કરાવવા માંગે છે.
તેમણે દાવો કરતા કહ્યું કે મને રોકી શકો તો રોકી લો. સીધા જ ઉદ્ધવ ઠાકરેને પડકાર આપતા અર્ણબે કહ્યું કે ઉદ્ધવજી દેશને બતાવો કે તમારી પોલીસ દિશા કેસના સૌથી મોટા સાક્ષીને છુપાવવાનો અધિકાર કોણે આપ્યો ? ઉદ્ધવ ઠાકરે જો તમારી પોલીસને આ અધિકાર છે તો દેશની પોલીસને તમારાથી સવાલ કરવાનો અધિકાર છે.
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે રિપ્લબ્લીક ટીવી પર દરરોજ ડિબેટ જોવા મળતી હોય છે. અર્ણબ ગોસ્વામી આ કેસમાં પહેલાથી જ ખૂબ વધારે આક્રમક જોવા મળી રહ્યા છે. એવામાં દિશા સાલિયાન કેસમાં પણ તે ઉદ્ધવ સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
અર્ણબે કહ્યું કે હું દરરોજ પૂરાવા આપીશ જ. આવી જાઓ મને રોકી શકો તો રોકી લો. શૉમાં અર્ણબે બૂમો પાડતા કહ્યું કે અરે ઉદ્ધવ જી, તમે તમારી પોલીસને જણાવી દેજો કે તે લોકોએ કોઈ પણ ખોટી વાર્તા બનાવવાની છે તો કામ શરુ કરી દે. તમારી પાસે માત્ર એક જ કલાક છે.