અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા તેસમાં તપાસકર્તાઓએ જણાવ્યું કે, તેઓ એ કપડાની તપાસ કરશે જેનાથી સુશાંતે ફાંસો ખાધો હતો, જેથી જાણી શકાય કે એ કપડું અભિનેતાનું વજન ઉઠાવી શકવામાં સક્ષમ હતું કે નહીં. 14 જૂનએ જ્યારે પોલીસ સુશાંતના બાન્દ્રા સ્થિત ઘરે પહોંચી હતી ત્યાં સુધી સુશાંતનું શબ ઉતારી દેવામાં આવ્યું હતું. શબને લટકતા પોલીસે જોયો નહોતો. તપાસકર્તાઓ મુજબ અભિનેતાએ પંખાથી લટકીને ફાંસો ખાવા માટે રાતે પહેરાતા લીલા રંગના સુતરાઉ ગાઉનનો ઉપયોગ કર્યો હતો.
સુશાંતની મોતના કેસમાં એક પછી એક ખુલાસા
હવે સુશાંતે જે કપડાંથી ફાંસો લગાવ્યો હતો તેની તપાસ કરાશે
સુશાંતે રાતે પહેરાતા લીલા રંગના સુતરાઉ ગાઉનનો ઉપયોગ કર્યો હતો
આ સિવાય સોમવારે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસ અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાન્દ્રા પોલીસે ભણસાલીને સમન્સ જારી કર્યું છે. તે સોમવારે તપાસમાં જોડાશે અને તે પછી જ તેમનું નિવેદન નોંધવામાં આવશે.
તેમણે જણાવ્યું કે પોલીસ આ કેસમાં ઈન્ડસ્ટ્રીમાં હરીફાઇના પાસાની પણ તપાસ કરી રહી છે, જેથી અભિનેતાને ડિપ્રેશનમાં જવાનું કારણ શોધવા પ્રયાસ કરશે. ભણસાલીએ રાજપૂતને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી, પરંતુ ડેટ્સ ન હોવાને કારણે આ શક્ય બન્યું ન હતું, કારણ કે અભિનેતાએ એક મોટી ફિલ્મ નિર્માતા કંપની સાથે કરાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, સુશાંતે કયા સંજોગોમાં આત્મહત્યા જેવું પગલું ભર્યું તે સમજવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસે સુશાંતના પરિવારના સભ્યો, અભિનેત્રી રિયા ચક્રવર્તી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા, યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા અને અભિનેત્રી સંજના સંઘી સહિત 29 લોકોનાં નિવેદનો નોંધ્યા છે.
એક તપાસકર્તાએ જણાવ્યું કે અભિનેતાના આંતરડા સિવાય પોલીસે તેનો ગ્રીન ગાઉન જેનાથી તેણે ફાંસો ખાધો હતો તેને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને અંતિમ ફોરેન્સિક રિપોર્ટ આવવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. તેમણે કહ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે ફોરેન્સિક નિષ્ણાતો અભિનેતાના ગળાની આસપાસના નિશાનની તપાસ કરશે અને ગાઉન સુશાંતનો ભાર ખમી શકે એવો હતો કે નહીં તેની તપાસ થશે.