સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ સાથે જોડાયેલા તથ્યો સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હવે કેસ નોંધ્યો છે. બ્યુરોએ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, જયા શાહા, શ્રુતિ મોદી અને ગૌરવ આર્ય વિરુદ્ધ કેસ નોંધ્યા છે.
સુશાંતસિંહ રાજપૂત કેસ મામલો
હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ નોંધ્યો કેસ
ઉલ્લેખનીય છે કે, હવે તપાસના સંદર્ભમાં એનસીબીની ટીમ મુંબઈ જશે. આ મામલાની તપાસ દિલ્હીના ઝોનલ ડિરેક્ટર આઈપીએસ કેપીએસ મલ્હોત્રા કરશે. રિયા ચક્રવર્તી પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ છે. આ અભિનેત્રી પર પણ ડ્રગ્સ લેવાનો અને ડીલ કરવાનો આરોપ છે.
CBI કરી રહી છે તપાસ
ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી અને આ દરમિયાન ડ્રગ્સથી સંબંધિત કેટલાક તથ્યો બહાર આવ્યા હતા. ત્યારબાદ ઇડીએ કેટલાક પુરાવા CBI અને ડ્રગ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ને શેર કર્યા.
રિયાના વકીલે આરોપોને નકાર્યા
ઉલ્લેખનીય છે કે, રિયાના વકીલે આવા આરોપને સંપૂર્ણપણે નકારી દીધા છે. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સી ચોક્કસ ડેટાની તપાસ કરી રહી છે અને આ "પ્રાથમિક દ્રષ્ટિએ" ઇનપુટ્સ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એનસીબી સાથે શેર કરવામાં આવ્યા છે, પરંતુ આ એજન્સીઓ સાથે શેર કરેલી વિગતોના ખુલાસા કરવામાં આવ્યું નથી.
રિયા બ્લડ સેમ્પલ આપવા માટે તૈયાર
અભિનેત્રીના વકીલ સતીષ માનશિન્દેએ આક્ષેપોના જવાબમાં કહ્યું હતું કે, "રિયાએ તેના જીવનમાં ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી." તે બ્લ્ડ સેમ્પલ્સની તપાસ માટે તૈયાર છે. "ઇડીએ આ કેસમાં 28 વર્ષીય રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી છે અને તેમનું નિવેદન મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધ્યું હતું.