સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસ ફુલ એક્શન મોડમાં ચાલી રહી છે. સુશાંતની મૃત્યુના દિવસે તેના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં હાજર હાઉસ સ્ટાફ અને મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પૂછપરછ બાદ હવે સીબીઆઈએ રિયા ચક્રવર્તીને સકંજામાં લઈ શકે છે. સીબીઆઈકોઈપણ સમયે રિયાને સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવી શકે છે.
સુશાંતના કેસમાં રોજ નવા વળાંક
હવે રિયાને પૂછપરછ માટે બોલાવશે સીબીઆઈ
સીબીઆઈ આવા તીક્ષ્ણ પ્રશ્નો રિયાને પૂછી શકે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીબીઆઈ આજે રિયાને પૂછપરછ માટે બોલાવી શકે છે. એવામાં રિયાને સીબીઆઈના તીક્ષ્ણ પ્રશ્નોનો સામનો કરવો પડશે. અગાઉ રિયા બે વખત પૂછપરછ માટે ઇડી ઓફિસ ગઈ હતી. રિયાની સાથે તેનો ભાઈ અને પિતા પણ હતા. રિયાની પૂછપરછ દરમિયાન સીબીઆઈ તેને કયા પ્રશ્નો પૂછી શકે છે ચાલો જાણીએ.
8 જૂનએ અચાનક એવું તો શું થયું કે તૂ ઘર છોડીને જતી રહી?
તે સુશાંતનો નંબર બ્લોક કેમ કર્યો હતો?
સુશાંતને કઈ બીમારી હતી?
સુશાંતની આ બીમારીનો ઈલાજ કયા ડોક્ટર કરી રહ્યાં હતા?
સુશાંતના બેંક અકાઉન્ટથી જોડાયેલા સવાલો પણ પૂછી શકે છે.
આ ઉપરાંત આજે નીરજ, સિદ્ધાર્થ પિઠાણી અને દિપેશ સાવંતની ફરી પૂછપરછ થઈ શકે છે. એવા અહેવાલો છે કે, રિયાની પૂછપરછ કર્યા બાદ સીબીઆઈ નીરજ, સિદ્ધાર્થ પિઠાણી અને દિપેશને સામસામે બેસાડીને પૂછપરછ કરશે. સીબીઆઈએ આ ત્રણેયની ઘણીવાર પૂછપરછ કરી છે. સુશાંતના મૃત્યુના દિવસે આ ત્રણેય અભિનેતા સાથે એક જ ફ્લેટમાં હાજર હતા. જેથી કેસની સત્યતા જાણવા માટે ત્રણેયનાં નિવેદનો ખૂબ જ મહત્વપૂર્ણ છે.