સુશાંત સિંહ રાજપૂતન કેસમાં ઓરોપી રિયા ચક્રવર્તી આજ કાલ મીડિયામાં આવીને પોતાનો પક્ષ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ તેનું પીઆર ફેઈલનું ટેસ ટેગ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે સીબીઆઈના તીખા 10 સવાલોના જવાબ આપતા રિયા ચક્રવત્તીના છક્કા છુટી ગયા હતા. મુખ્ય આરોપી રિયાને સીબીઆઈએ શુક્રવારે પહેલી વાર પુછપરછ માટે બોલાવી હતી. સવારે11 વાગ્યે રિયા ડિઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી અને મોડી રાતે નિકળી હતી. સીબીઆઈએ સાડા 10 કલાક પુછપરછ કરી હતી. ત્યાંથી નીકળી રિયા સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી પોલીસ કર્મીઓ સાથે તે ઘરે રવાના થઈ હતી.
રિયા પર સુંશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ
એસપી નુપુર પ્રસાદ અને અનિલ યાદવે રિયાને કડકાઈથી સવાલો પુછ્યા
જવાબ આપતા આપતા રિયાનો પરસેવો છુટી ગયો હતો
રિયા પર સુંશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ છે. એસપી નુપુર પ્રસાદ અને અનિલ યાદવે રિયાને કડકાઈથી સવાલો પુછ્યા જેનો જવાબ આપતા આપતા રિયાનો પરસેવો છુટી ગયો હતો.
બીજી તરફ તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની અલગ પુછપરછ કરવામાં આવી છે. 14 કલાક તેની પુછપુરછ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઈએ નોકર દીપેશ સાવંત, નીરજ સિંહ, સૈમુઅલ મિરાંડા અને મિત્ર સિદ્ધાર્થ પિઠાની સાથે પુછપરઠ કરી રહી.
રિપોર્ટ મુજબ સીબીઆઈએ આ 10 સવાલ રિયાને પુછ્યા હતા
સુશાંતના મોતની જાણકારી તમને કેવી રીતે મળી?
જ્યારે તમને સુશાંતના મોતના સમાચાર મળ્યા ત્યારે તે ક્યાં હતી?
મોતના સમાચાર મળ્યા બાદ શું તે સુશાંતના ઘરે ગઈ?
જો ના, તો સુશાંતના મૃતદેહને ક્યાં અને ક્યારે જોયો?
તે સુશાંતનું ઘર છોડીને કેમ ગઈ હતી?
શું સુશાંતથી કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો?
ઘર છોડ્યા બાદ શું સુશાંત સાથે વાત થઈ? જો ના તો કેમ વાત ન કરી?
તમે તેનો મોબાઈલ નંબર બ્લોક કેમ કર્યો?
શું સુશાંતના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો?
યુરોપ ટુરમાં કેટલો ખર્ચ થયો અને કોણે કર્યો? સુશાંતના કેટલા બેંક ખાતા હતા અને તેના બેંક અકાઉન્ટ કોણ જોતુ હતુ? સુશાંતની પાસે કેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હતા?