સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસના મામલે શરદ પવારે નિવેદન આપ્યું છે. CBI તપાસ મુદ્દે NCP સુપ્રીમો શરદ પવારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે કેસની તપાસ CBIને સોંપી છે. મને ખાતરી છે કે મહારાષ્ટ્ર સરકાર નિર્ણયનો આદર કરશે. એટલું જ નહીં તેમણે CBI પર કટાક્ષ કર્યો હતો.
CBI તપાસ મુદ્દે NCP સુપ્રીમો શરદ પવારનું નિવેદન
મહારાષ્ટ્ર સરકાર તપાસમાં સહકાર આપશેઃ પવાર
ડો.નરેન્દ્ર ડાભોલકરની હત્યાની તપાસ હજુ પૂર્ણ થઇ નથીઃ પવાર
વર્ષ 2014માં શરૂ કરાયેલી તપાસમાં હજુ કોઇ પરિણામ મળ્યું નથી
એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીબીઆઈ એક્શનમાં છે. આ દરમિયા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી(એનસીપી) ચીફ શરદ પવારે સીબીઆઈ તપાસ પર નિશાન સાધતા કહ્યું કે, ક્યાંક આની હાલત પણ નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસ જેવી ન થઈ જાય. જે અત્યાર સુધી નથી ઉકેલાયો. વર્ષ 2014માં શરૂ કરાયેલી તપાસમાં હજુ કોઇ પરિણામ મળ્યું નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે મને ભરોસો છે કે મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈને તપાસમાં સહકાર આપશે. આ કેસની તપાસને સહયોગ કરવા માટે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને સન્માન કરશે.
તેમણે કહ્યું કે આશા રાખુ છું કે એવુ ન થાય તે તપાસ આગળ ન વધે જેવું ડો. નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસ જેવી ન થઈ જાય. જે અત્યાર સુધી નથી ઉકેલાયો. વર્ષ 2014માં શરૂ કરાયેલી તપાસમાં હજુ કોઇ પરિણામ મળ્યું નથી.