ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ શનીવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. 15 ઓગસ્ટે જ ધોનીએ ક્રિકેટ પ્રેમીઓને નિરાશ કરી દીધા છે. ધોનીએ ક્રિકેટમાં જે યોગદાન આપ્યું છે તે અણમોલ છે. સુશાંત સિંહ રાજપૂત પણ ધોનીના બહુ મોટા ફેન હતા. તેમણે MS Dhoni-the untold storyમાં મહેન્દ્ર સિંહ ધોનીનું પાત્ર ભજવ્યું હતું, જેની ખુબ પ્રશંસા થઇ હતી.
સુશાંતે નિભાવી ધોનીની ભૂમિકા
સુશાંતને ધોની વિશે સવાલો પૂછાતા
સન્યાસ પર પૂછાયેલા સવાલનો આપ્યો જવાબ
સુશાંતે ધોનીને પોતાના જીવનમાં એ રીતે ઉતારી લીધા હતા જાણે પોતે જ ધોની હોય. તેમણે આ પાત્રને ભજવવા માટે ખૂબ મહેનત કરી હતી અને જેનું પરિણામ આપણે સ્ક્રિન પર જોઇ શક્યા. ફિલ્મમાં આપણને એવું જ લાગતુ હતુ કે ત્યાં સુશાંત નહી ધોની જ પફોર્મ કરી રહ્યાં છે.
ધોનીનું શૂટિંગ શરૂ થાય તે પહેલા સુશાંત ધોની સાથે ઘણા દિવસ રહ્યાં અને ધોનીનું બારીકાઇથી અવલોકન કર્યું. તેમની નાની નાની વાતોને અને આદતોને સમજ્યા. ખાસ કરીને ધોનીની ક્રિકેટ રમવાની દરેક અદાને સુશાંત ઘોળીને પી ગયા હતા.
સુશાંત અને ધોનીએ સાથે મળીને જ આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. એક વાર જ્યારે સુશાંતને ધોનીના રિટાયર્મેન્ટને લઇને સવાલ કરવામાં આવ્યો ત્યારે સુશાંતે ખુબ જ સટીક જવાબ આપ્યો હતો કે, ધોનીએ ક્યારે સન્યાસ લેવો તે નિર્ણય ધોની સિવાય કોઇ સારી રીતે ન લઇ શકે.
સુશાંતે કહ્યું હતુ કે, જ્યારે તમે લીડરશીપ પર કોઇ પુસ્તક વાંચો છો ત્યારે તમને ખબર પડે છે કે તેમનામાં તે બધી જ સારી બાબતો છે. જે માણસે દેશની આટલી સેવા કરી છે તે જ આ સવાલનો જવાબ સારી રીતે આપી શકે તેમ છે.
તમને જણાવી દઇએ કે, સ્ક્રિન પર હુબહુ ધોનીને પ્રેઝન્ટ કરનાર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ તેમના મુંબઇ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. હવે સુશાંત કેસની તપાસ મુંબઇ પોલિસ કરી રહી છે.