સુશાંત સિંહ રાજપૂત કેસમાં લોકોના સવાલ હતા કે સીબીઆઈ રિયા ચક્રવર્તીની પૂછપરછ ક્યારે કરશે. ત્યારે એ ઘડી આજે આવી શકે છે. આજે સીબીઆઈ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી શકે છે. રિયાને સીબીઆઈએ સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવી છે. સોમવારે એટલે કે આજે રિયા સીબીઆઈ સામે પૂછપરછ માટે હાજર થઈ શકે છે.
સીબીઆઈ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે
સીબીઆઈએ સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવી છે
સોમવારે એટલે કે આજે રિયા સીબીઆઈ સામે પૂછપરછ માટે હાજર થઈ શકે છે
સુશાંતના કેસમાં સીબીઆઈની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ કેસમાં સીબીઆઈ રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરવા જઈ રહી છે. રિયા ચક્રવર્તી પર આ કેસમાં અનેક આરોપો લાગ્યા છે. સુશાંતના પિતા કે કે સિંહની ફરિયાદમાં રિયા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેના પર બ્લેકમેલિંગથી લઈને સુશાંતને દગો આપવા સુધીની વાત કરવામાં આવી છે. દાવો તો એ પણ કરવામાં આવ્યો છે કે રિયાએ સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રુપિયા નિકાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેના પિતાએ કહ્યું હતું કે રિયાએ સુશાંતને પરિવારથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. રિયા સુશાંતને મળવા દેતી નહોંતી. હવે સીબીઆઈ આ તમામ પાસાઓ પર સવાલ કરી શકે છે.
આ સમયે સમગ્ર મામલો રિયાની આસપાસ ફરી રહ્યો છે. કેસમાં રોજ એક નવો વળાંક આવે છે. જેના કારણે રિયાની સમસ્યા વધી ગઈ છે. ઈડીએ પણ રિયાની 2 વાર પૂછપરછ કરી છે. તેમના ઈન્કમ સોર્સથી માંડી તેમની નવી કંપની સુધીની તમામ બબતો રિયાને પૂછવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર રિયાની મહેશ ભટ્ટ સાથેની ચેટ વાયરલ થઈ રહી છે. ચેટમાં તે સુશાંતને હંમેશા માટે છોડીની આવી હોવાનો ખુલાસો થયો છે.