સૂર્યકુમાર યાદવને અત્યારે ભારતીય ટીમ તરફથી ચોથા ક્રમે રમવાની તક મળી રહી છે. જો કે, સૂર્યકુમાર યાદવની પોઝીશન બદલાતી રહે છે.
એશિયા કપમાં ભારતીય ટીમમાં સુર્યકુમાર યાદવને ચોથા ક્રમે રમવાની તક મળી
ધાર્યુ પ્રદર્શન છતા ટીમમાં સૂર્યકુમાર યાદવને ફિક્સ જગ્યા અપાઈ નથી
સૂર્યકુમાર યાદવે કહ્યું, તેઓ કોઈ પણ પોઝીશન પર બેટીંગ કરી શકશે
એશિયા કપમાં ટીમમાં સૂર્યકુમાર યાદવને ફિક્સ જગ્યા અપાઈ નથી
એશિયા કપમાં ભારતે હોંગકોંગને 40 રનથી હરાવીને સુપર 4માં જગ્યા બનાવી છે. ભારતના વિજયના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યાં. જેણે 26 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી. જો કે, સતત ધાર્યુ પ્રદર્શન કર્યા હોવા છતા ટીમમાં સૂર્યકુમાર યાદવને ફિક્સ જગ્યા થઇ નથી. આ વાત સંદર્ભે સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે તેઓ કોઈ પણ પોઝીશન પર બેટીંગ કરી શકે છે.
મને કોઈ પણ નંબર પર બેટીંગ માટે મોકલી દો પણ મને રમાડો: સુર્યકુમાર
સૂર્યકુમાર ચોથા ક્રમે બેટીંગ કરવા ઉતર્યા હતા. તેમણે અનેક પ્રકારના શૉટ્સ રમ્યા તથા છ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમારે મેચ બાદ કહ્યું, હું કોઈ પણ સ્થાન પર બેટીંગ કરી શકુ છુ. જે પણ નંબર પર તમે કહો. હું કોચ અને કેપ્ટનને કહી ચૂક્યો છુ કે મને કોઈ પણ નંબર પર બેટીંગ માટે મોકલી દો. પણ મને રમાડો.
કેેએલ રાહુલ પોતાના જૂના અંદાજથી રમી શક્યા નથી
વાઈસ કેપ્ટન કેએલ રાહુલ હવે સાજા થયા છે, પરંતુ તેઓ હજી સુધી ટુર્નામેન્ટમાં પોતાના જૂના અંદાજથી રમી શક્યા નથી. હોંગકોંગની સામે તેમણે 39 બોલમાં 36 રન બનાવ્યાં. જ્યારે સૂર્યકુમારને પૂછવામાં આવ્યું કે શું તેઓ રોહિત શર્માની સાથે ઈનિંગ શરૂ કરશે તો તેમણે કહ્યું, તો તમે કહી રહ્યાં છો કે અમારે કેએલ રાહુલને ના રમાડવા જોઈએ. તેઓ સાજા થતા વાપસી કરી રહ્યાં છે અને તેમને હજુ થોડો સમય જોઈએ અને અમારી પાસે અત્યારે સમય છે.