મુંબઈ ઈન્ડીયન્સના સ્ટાર પ્લેયર સુર્યકુમાર યાદવ સ્નાયુઓની ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર થયો છે.
મુંબઈ ઈંડિયન્સને મોટો ઝટકો
ઈજાને કારણે સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં બહાર
બાકીની મેચમાં નહીં રમી શકે
સ્નાયુઓમાં થઈ છે ઈજા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)ને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
આઈપીએલે ટ્વિટ કરીને આપી જાણકારી
આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2022માંથી બહાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવને ડાબા હાથમાં ઈજા થઈ છે, જેના કારણે તે બહાર થઈ ગયો છે. 6 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયો હતો.
સ્નાયુઓની ઇજાને પગલે થવાથી બાકીની સિઝનમાંથી બહાર
વિસ્ફોટક્ રાઇટ હેન્ડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બાકીની સિઝન માટે બહાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવ સ્નાયુઓની ઇજાને પગલે થવાથી બાકીની સિઝનમાંથી બહાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ સાથે ચર્ચા કરીને તેમને આરામની સલાહ આપવામાં આવી છે.
𝗢𝗙𝗙𝗜𝗖𝗜𝗔𝗟 𝗦𝗧𝗔𝗧𝗘𝗠𝗘𝗡𝗧
Suryakumar Yadav has sustained a muscle strain on his left fore arm, and has been ruled out for the season. He has been advised rest, in consultation with the BCCI medical team. pic.twitter.com/78TMwPemeJ
સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. આ સિઝનમાં તેણે 8 સિઝનમાં 303 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેની એવરેજ 43.29ની છે. જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અત્યાર સુધીમાં સૌથી વધુ રન ફટકારવામાં સૂર્યકુમાર યાદવ બીજા ક્રમે છે.
આઈપીએલમાં ઘણો મોડો જોડાયો હતો સુર્યકુમાર યાદવ
ખરાબ ફિટનેસને કારણે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ઘણા સમય બાદ જોડાયો હતો. તે ટીમ ઇન્ડિયા તરફથી રમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ તેને નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવું પડ્યું હતું. એનસીએ તરફથી મંજૂરી મળ્યા બાદ જ સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં રમી શક્યો હતો.સૂર્યકુમાર યાદવ કેટલો સમય ફિટ રહે છે, તે જોવાનું રહેશે, કારણ કે આઇપીએલની સમાપ્તિ બાદ ભારતે સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી પણ રમવી પડશે.
મુંબઈ ઈન્ડીયન્સ આઈપીએલમાં બહાર થઈ ચૂકી છે
આઈપીએલમાં સતત ખરાબ પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડીયન્સ આઈપીએલમાંથી બહાર થઈ ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી 2માં તેનો વિજય અને 8માં પરાજય થયો છે. મુંબઈને હજુ ચાર મેચ (9 મેના રોજ રમાનારી મેચ સહિત) રમવાની બાકી છે, જો તે તમામ મેચ જીતી જાય તો પણ તેના કુલ 10 પોઈન્ટ થઈ જશે. મુંબઇ ઇન્ડિયન્સ પોતે હવે પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે નહીં.