ICCએ ટી20 વર્લ્ડ કપ પહેલા 5 શ્રેષ્ઠ પ્લેયર્સની પસંદગી કરી છે, જેમાં ભારતના સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે.
ICCએ ટી20 વર્લ્ડ કપ 2022 માટે પસંદ કર્યા 5 પ્લેયર
ભારતના સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં સામેલ
સૂર્યકુમાર બની ગયા છે ભારત તરફથી એક વર્ષમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન
ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત 16 ઓકટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર થશે. વેસ્ટઈન્ડિઝે સૌથી વધારે બે વાર ICCની ટ્રોફી પોતાને નામ કરી છે. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલીયાએ એક એક વાર આ ખિતાબ જીત્યો છે. ટી20 વર્લ્ડ કપ 2022 માટે ICCએ 5 ખેલાડીઓ પસંદ કર્યા છે, જે શાનદાર પ્રદર્શન કરી શકે છે. આમાં એક સ્ટાર ભારતીય પ્લેયરને પણ જગ્યા આપવામાં આવી છે.
આ 5 ખેલાડીઓને ICCએ પસંદ કર્યા
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતનાં મધ્યક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સહિત પાંચ ખેલાડીઓને પસંદ કર્યા છે, જએમની પાસેથી આશા છે કે તેઓ ઓસ્ટ્રેલિયામા 16 ઓકટોબરથી શરૂ થનારા ટી20 વર્લ્ડ કપમાં ચમકશે. સૂર્યકુમાર યાદવ સિવાય ઓસ્ટ્રેલીયાનાં ઓપનર ડેવિડ વોર્નર, શ્રીલંકાનાં ઓલરાઉન્ડર હસરંગા, ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર અને પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાન પસંદ થયા છે.
સૂર્યકુમાર યાદવની કમાલ
સૂર્યકુમાર યાદવ આ વર્ષે ભારત માટે ટી20મા શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને ઓસ્ટ્રેલીયામા થનારા વિશ્વ કપમા ટીમની સૌથી મોટી આશા હશે. સૂર્યા ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપની માત્ર 4 મેચમા રમ્યા હતા અને ત્રણ દાવમાં માત્ર 42 રન જ બનાવી શક્યા હતા, પરંતુ આ વર્ષે તેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ICC ટી20 રેન્કિંગમાં વર્લ્ડ નંબર 2 બેટ્સમેન બની ગયા છે.
ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન
સૂર્યકુમાર યાદવે આ વર્ષે 40.66ની સરેરાશ અને 180.29ના સ્ટ્રાઈક રેટથી 732 રન બનાવ્યા છે અને શિખર ધવનથી આગળ નીકળીને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયા છે. શિખરે 2018મા 689 રન બનાવ્યા હતા.