24 ઑક્ટોબર સોમવારે દિવાળીનો પવિત્ર પર્વ છે તેના પછીના દિવસે એટલે કે 25 ઑક્ટોબરનાં રોજ વર્ષનો છેલ્લો સૂર્યગ્રહણ છે અને ત્યારબાદ ગોવર્ધન પૂજા છે. હિંદુ પંચાગ અનુસાર દરવર્ષે કાર્તિક અમાસની તિથિ પર લક્ષ્મી- ગણેશ પૂજા કરીને દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે. અને બીજા જ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.
દિવાળીના બીજાં જ દિવસે છે સૂર્યગ્રહણ
દશકાઓ બાદ આવો દુર્લભ યોગ
ગ્રહણ દરમિયાન લાગશે સૂતકકાળ
દિવાળીના પર્વને બીજે દિવસે સૂર્યગ્રહણ છે. ઘણાં વર્ષો બાદ દિવાળીના દિવસનાં બીજા દિવસે ગોવર્ધન પૂજા થશે નહીં. સૂર્યગ્રહણના એક દિવસનાં અંતર બાદ ગોવર્ધન પૂજા કરવામાં આવશે. એક ગણતરી અનુસાર આશરે 1300 વર્ષો બાદ સૂર્યગ્રહણ 2 પ્રમુખ તહેવારોની વચ્ચે આવવાની સાથે સાથે બુધ-ગુરૂ, શુક્ર અને શનિ તમામ પોતાની રાશિમાં હાજર રહેશે.
ભારતમાં વર્ષનો છેલ્લો સૂર્યગ્રહણ
વર્ષનો છેલ્લો સૂર્યગ્રહણ ભારતના અમુક હિસ્સાઓમાં દશ્યમાન થશે. ભારતમાં તો ગ્રહણ મૂકાય ત્યારે સૂતક માનવામાં આવે છે. જેના લીધે ગ્રહણ સંબંધિત ધાર્મિક માન્યતાઓનું પાલન પણ કરવામાં આવે છે.
ભારતમાં સૂર્યગ્રહણ શરૂ થવાનો સમય સૂર્યગ્રહણની તારીખ - 25 ઓક્ટોબર 2022 સૂર્યગ્રહણનો સમય - 16:22થી 17:42 સુધી સૂર્યગ્રહણ રહેવાનો સમયગાળો - 1 કલાક 19 મિનિટ
ભારતમાં ક્યાં-ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ
પંચાગની ગણતરી અનુસાર સૂર્યગ્રહણ હંમેશા અમાસની તિથિ પર લાગે છે. આ વખતે પણ કાર્તિર અમાસની તારીખ 25 ઑક્ટોબરથી સૂર્યગ્રહણ લાગશે. ખગોળ વૈજ્ઞાનિકો અનુસાર દિવાળીના બાદ લગાતો સૂર્યગ્રહણ દેશનાં ઉત્તરી અને પશ્ચિમી ભાગોમાં જોવા મળશે. અને પૂર્વી ભાગોમાં દેખાશે નહીં કારણકે ત્યાં સૂર્યાસ્ત જલ્દી થાય છે.
દેશનાં આ હિસ્સામાં થોડાં સમય માટે દેખાશે સૂર્યગ્રહણ
દક્ષિણ ભારતનાં હિસ્સા જેવા કે તમિલનાડુ, કર્ણાટક, મુંબઇ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ, બંગાળ અને ઝારખંડ
આ રાશિઓમાં લાગશે સૂર્યગ્રહણ
જ્યોતિષ શાસ્ત્રીઓના અંદાજ મુજબ આ સૂર્યગ્રહણ 25 ઑક્ટોબરનાં તુલા રાશિમાં લાગશે. આ ગ્રહણના સમયે 4 ગ્રહ પોતાની જ રાશિનાં હાજર રહેશે. જેમાં બુધ, શુક્ર, શનિ અને શુક્ર સમાવિષ્ટ છે. શનિ મકર રાશિમાં, ગરૂ પોતાની મીન રાશિમાં, બુધ કન્યા રાશિમાં અને શુક્ર તુલા રાશિમાં રહેશે.
સૂર્યગ્રહણનું સૂતકકાળ ક્યારથી શરૂ થશે
ભારતમાં આંશિક સૂર્યગ્રહણ લાગવાનું છે જેના લીધે સૂતકકાળ પણ લાગુ પડશે. ધાર્મિક દ્રશ્ટિકોણથી જોઇએ તો સુતક કાળ ક્યારેય પણ શુભ માનવામાં આવતો નથી. આ કાળમાં પુજા-પાઠ વર્જ્ય હોય છે. હિન્દુ પંચાગ અનુસાર 25 ઑખ્ટોબરનાં સૂર્યગ્રહણ સાંજે 4 વાગ્યાની આસપાસ શરૂ થશે. સુતકકાળ ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા જ શરૂ થાય છે અને આશરે 1.5 કલાક સુધી ચાલે છે.
સુતકકાળ દરમિયાન શું ન કરવું ?
આ કાળ દરમિયાન કોઇપણ દેવી- દેવતાઓનું પૂજન ન કરવું
ગ્રહણ દરમિયાન ન તો ભોજન પકવવાનું અને ન તો કંઇ ખાવા પીવાનું
ગર્ભવતિ મહિલાઓને ઘરથી બહાર નિકળવું જોઇએ નહીં.
તુલસી સહિત અન્ય વૃક્ષનો સ્પર્શ કરવો નહીં.
ગ્રહણ પૂરો થાય ત્યારે સ્નાન કરી, ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી અને રોજબરોજની પ્રવૃતિ કરી શકાય છે.