સૂર્યને નવગ્રહોનો રાજા કહીએ છીએ. સૂર્ય પ્રાણીમાત્ર માટે જીવનશક્તિ છે. સૂર્યના પ્રકાશ વિના વિશ્વમાં ક્યાય પણ જીવન સંભવ નથી. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય પ્રતિક છે આત્માનો, સત્તાનો, વૈભવી જીવનશૈલીનો.
સૂર્યને નવગ્રહોનો રાજા કહીએ છીએ. સૂર્ય પ્રાણીમાત્ર માટે જીવનશક્તિ છે. સૂર્યના પ્રકાશ વિના વિશ્વમાં ક્યાય પણ જીવન સંભવ નથી. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય પ્રતિક છે આત્માનો, સત્તાનો, વૈભવી જીવનશૈલીનો.
જ્યારે કોઇ જાતકની જન્મપત્રિકામાં સૂર્ય શૂભ હોય છે ત્યારે તે જાતકનું જીવન સમૃદ્ધ છે. તેને પોતાના જીવનમાં યશ-પ્રતિષ્ઠા, ધન-ધાન્ય તથા તમામ સુખોની પ્રાપ્તિ હોય છે. પરંતુ જ્યારે કોઇ જાતકની જન્મકૂંડલીમાં સૂર્ય અશુભ હોય છે ત્યારે જાતકના જીવનભર અસફળતા આપે છે. આવી ગ્રહ સ્થિતિમાં સૂર્યની આરાધના કરી જાતક પોતાના જીવનમાં આવેલ અવરોધ અને વિઘ્નને દૂર કરી સંકટમાંથી મુક્ત થઇ લાભ પ્રાપ્ત કરી શકે છે.
આ માટે જાતકે આખા વર્ષના દ્વાદશ આદિત્ય (12 સૂર્યો) ને સવારે અર્ધ્ય આપવું, તેમના નામનું સ્મરણ કરવું લાભ કારક રહેશે. આપણા શાસ્ત્રોમાં આખા વર્ષમાં દ્વાદશ આદિત્યોનું વર્ણન કરાયું છે. આવો જાણીએ વર્ષના દ્વાદશ આદિત્યોના નામ કયા કયા છે.
સૂર્ય-સપ્તમી વ્રત દર માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ તેને માસના અધિષ્ડાતા સૂર્યનું નામ ઉચ્ચારણ કરતા સૂર્યદેવને કંકુ મિશ્રિત જળથી અર્ધ્ય આપવું. ત્યારબાદ દિવસભર ઉપવાસ રાખી સાંજે સૂર્યાસ્ત પહેલા વિના મીઠાવાળા ભોજન કરી ઉપવાસ છોડવો જોઇએ. આ વ્રતને કરવાથી સૂર્ય દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.