બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'વડોદરા બન્યું ભ્રષ્ટાચારનો અડ્ડો' પૂરની સ્થિતિને લઈ જૈન આચાર્યએ VMCના સત્તાધીશોને લીધા આડેહાથ
Last Updated: 04:29 PM, 5 September 2024
હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિને લઈ તંત્ર પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં દરવર્ષે પૂરની સ્થિતિનું નિર્માણ થતા લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે. જનતા બાદ હવે જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજ પણ વડોદરાની સ્થિતિને લઈને બરાબરના વરસ્યા છે. જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજે પણ પૂર મુદ્દે વડોદરાના સત્તાધીશોને આડેહાથ લીધા હતા.
ADVERTISEMENT
જૈન આચાર્ય વડોદરાની સ્થિતિને લઈને વરસ્યા
ADVERTISEMENT
સૂર્યસાગર મહારાજએ કહ્યું કે, વર્ષો પહેલા 30થી 35 તળાવો હતા જે ગાયબ થઈ ગયા છે. જો એ તળાવો હોત તો વડોદરાની આ હાલત ન થઈ હોત. વધુમાં કહ્યું કે, વરસાદનું પાણી તે સમયે તળાવમાં જતુ હતું. ભ્રષ્ટ નેતાઓએ તળાવોની જગ્યા બિલ્ડરોને આપી દેતા વડોદરા દર વરસાદે ડૂબે છે. વડોદરા શહેર અત્યારે ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યું છે. સૂર્યસાગર મહારાજે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વિજય શાહે વડોદરા માટે કંઈ કર્યું નથી.
'તળાવોની જગ્યા બિલ્ડરોને આપી દીધી'
સૂર્યસાગર મહારાજએ કહ્યું કે, 10 કે 12 ઈંચ વરસાદથી વડોદરામાં ક્યારે પણ પૂર આવતો ન હતો. વડોદરામાં પહેલા 30થી 35 તળાવ હતા જેનાથી જો વધુ વરસાદ આવતો તો વરસાદનું પાણી તે તળાવમાં જતો રહેતો હતો. પરંતુ તળાવો બિલ્ડરોને વેચી દીધા છે અને ભ્રષ્ટાચાર કરી લીધું છે. જેનાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
આલ પણ વાંચો: શું નિકોલના મધુમાલતી આવાસ યોજનાના વિવાદનો આવશે અંત? જુઓ VTV પર કર્યો ખુલાસો
ભાજપના કોર્પોરેટર લોકો પર ભડક્યા
તો બીજી તરફ વડોદરામાં પૂરગ્રસ્ત લોકોની મદદ કરવાનું મૂકીને કોર્પોરેટર લોકો પર જ ભડક્યા છે. વોર્ડ નંબર 12ના ભાજપના કોર્પોરેટર ટ્વિન્કલ ત્રિવેદીએ લોકોને ખરી ખોટી સંભળાવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોના હાલચાલ જાણવા માટે કોર્પોરેટર ટ્વિન્કલ ત્રિવેદી પહોંચ્યા હતા. આ સમયે લોકોએ કોર્પોરેટર સામે આક્રોશ વ્યક્ત કરતા કોર્પોરેટર લોકો પર ભડકી પડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.