આ ચુલો સોલર કૂકરથી અલગ છે. કારણ કે તેને તડકામાં રાખવાની જરૂર નથી. આ સૂર્ય નૂતન વડે ચાર લોકોના પરિવાર માટે ત્રણ ટાઈમનું ભોજન સરળતાથી બનાવી શકાય છે.
ચુલાને કિચનમાં મુકીને ઉપયોગમાં લઈ શકાય છે
તેને પારંપરિક ઈંધણના વિકલ્પના રૂપમાં જોઈ શકાય
સૂર્ય નૂતનથી ત્રણ ટાઈમનું ભોજન સરળતાથી બનાવી શકાય છે
એલપીજીના ભાવથી દરેક લોકો પરેશાન છે. મહિનાના પ્રથમ દિવસે દરેક સામાન્ય માણસ ચિંતામાં હોય છે કારણ કે તેમને ગેસના ભાવ વધવાથી ડરતો હોય છે. પરંતુ હવે દેશની સૌથી મોટી ઓઈલ કંપની પોતે જ આ મોંઘવારી પર બ્રેક લગાવી છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ ઘરની અંદર ઉપયોગ માટે સૌર્ય ગેસ બર્નર રજૂ કર્યા. આ સોલાર સ્ટોવ ઘરની બહાર સ્થાપિત પેનલ્સમાંથી સૌર્ય ઉર્જાનો સંગ્રહ કરે છે. જેથી તમે દિવસના ત્રણ વખત ફ્રીનું ભોજન રાંધી શકો છો.
Tried my hand at cooking Suji Ka Halwa on Surya Nutan solar cooking system with my colleague Sh @girirajsinghbjp Ji.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ ગેસ બર્નર વિશે જણાવતા કહ્યું કે સૌર્ય ઉર્જાથી ચાલતા આ ચુલ્હાને કિચનમાં મુકીને ઉપયોગમાં ળઈ શકાય છે. આ ગેસને ખરીદવા માટે અને ઘરે મુકવા માટે કોઈ ખર્ચ નથી થતો અને તેને પારંપરિક ઈંધણના વિકલ્પના રૂપમાં જોઈ શકાય છે. હરદીપ પુરીએ બુધવારે પોતાના ઓફિશ્યલ આવાસ પર એક કાર્યક્રમ આયોજીત કર્યું જ્યાં આ સૌર્ય ઉર્જાના બનેલા ગેસ પર બનાવેલુ ભોજન પિરસવામાં આવ્યું.
ગેસ બર્નરનું નામ સૂર્ય નૂતન
આઈઓસીના નિર્દેશક એસએસ વી રામકુમારે કહ્યું કે આ ગેસને સૂર્ય નુતન નામ આપવામાં આવ્યું છે. આ ગેસ અને કુકરથી અલગ છે કારણ કે તેને તાપમાં નથી મુકવામાં આવતો. આ સૂર્ય નૂતનથી ચાર લોકો વાળા પરિવાર માટે ત્રણ ટાઈમનો ભોજન સરળતાથી બનાવી શકાય છે. સૂર્ય નૂતનને ફરીદાબાદ આઈઓસીના અનુસંધાન અને વિકાસ વિભાગે વિકસિત કર્યું છે જે છત પર મુકેલી પીવી પેનલ દ્વારા પ્રાપ્ત ઉર્જાથી ચાલે છે.
सूर्य नूतन बनेगा आत्मनिर्भर होते भारत की नयी पहचान
Surya Nutan has potential to transform our energy security situation, as we currently import 50% of LPG requirements. It can also reduce our CO2 emission drastically & keep citizens insulated from high international fuel prices. pic.twitter.com/6hkWc3rft6
કઈ રીતે કામ કરે છે સૂર્ય નૂતન?
ઇન્ડિયન ઓઇલે જણાવ્યું કે આ સૂર્ય નૂતન ગેસ એક કેબલથી જોડાયેલ છે. આ કેબલ છત પર લગાવેલી સોલાર પ્લેટ સાથે જોડાયેલ છે. સોલાર પ્લેટ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા કેબલ દ્વારા સ્ટોવ સુધી પહોંચે છે. આ ઊર્જામાંથી જ સૂર્ય નૂતન ચાલે છે. સૌર્ય પ્લેટ સૌપ્રથમ સૌર્ય ઊર્જાને થર્મલ બેટરીમાં સંગ્રહિત કરે છે. આ ઉર્જાનો ઉપયોગ રાત્રે પણ ખોરાક રાંધવા માટે કરી શકાય છે.
કેટલી છે સૂર્ય નૂતનની કિંમત?
હાલમાં સૂર્ય નૂતનનું પ્રારંભિક મોડલ રજૂ કરવામાં આવ્યું છે. તેનું બિઝનેસ મોડલ આવવાનું બાકી છે. શરૂઆતના તબક્કામાં તેને દેશભરમાં 60 સ્થળોએ ટ્રાયલ કરવામાં આવ્યો છે. આ સ્ટોવની લાઈફ 10 વર્ષ છે. આગામી સમયમાં આ સ્ટવનું કોમર્શિયલ લોન્ચિંગ થશે. કંપનીના જણાવ્યા અનુસાર સૂર્ય નૂતનની કિંમત 18,000 રૂપિયાથી 30,000 રૂપિયાની વચ્ચે હશે.
તેના પર સરકારી સબસિડી પણ આપવામાં આવશે. જેના કારણે તેની કિંમત 10,000 થી 12,000 રૂપિયાની વચ્ચે આવી શકે છે. એટલે કે, તમે એક વર્ષમાં LPG ગેસ સિલિન્ડર પર જેટલો ખર્ચ કરશો તેનાથી ઓછા ખર્ચમાં તેનો ઉપયોગ કરી શકશો.