સૂર્યા મરાઠી હત્યા કેસમાં ફરાર આરોપીની ATS ગુજરાતની ટીમ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે તે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
સૂર્યા મરાઠીની હત્યા કરનાર આરોપી ઝડપાયો
અમદાવાદથી ગુજરાત ATSની ટીમે કરી ધરપકડ
આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવનાર
સુરતના કુખ્યાત આરોપી સૂર્યા મરાઠીની હત્યાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમ દ્વારા સૂર્યા મરાઠીના હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો છે. વિકાસ ઉર્ફે વિક્કી યાદવ નામના આરોપીને ATSની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અને તેના સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાયા છે. ATSની ટીમે અમદાવાદમાં દુધેશ્વર બ્રિજ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો. આ આરોપી સામે શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયો છે. જોકે હાલ તેને તેની કરતૂતોને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
સાબરમતીમાં હત્યાનો ગુનો
આરોપી વિક્કી યાદવ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. અગાઉ પણ આ આરોપી સુરતમાં હત્યા તેમજ મારામારીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. તે સિવાય તે બે વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. ઉપરાંત આ આરોપી હથિયારના ગુનામાં પણ અગાઉ ઝડપાઈ ચુક્યો છે.
6 થી 7 શખ્સોએ કરી હતી હત્યા
સૂર્યા મરાઠી સૂરતનો માથાભારે ગેંગસ્ટર હતો જેથી આરોપી વિક્કીએ હત્યા કરી હતી. જોકે જે સમયે તેની હત્યા થકઈ હતી તેમાં 6 થી 7 જેટલા શખ્સોએ તેની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા પણ તેમણે સૂર્યા મરાઠીની ઓફિસમાં ઘૂસીનેજ કરી હતી. ત્યારબાદ સૂર્યા મરાઠીના સાગરીતોએ પણ એક હાર્દિક નામના શખ્સની હત્યા કરી હતી.
જેલમાંથી બહાર આવ્યા બાદ હત્યા
ઉલ્લેખનીય છે કે જે સમયે સૂર્યા મરાઠીની હત્યા થઈ તે સમયે સૂર્યા જેલમાંછથી છૂટીને બહાર આવ્યો હતો. તેની હત્યા બાદ સુરતમાં ભારે ગેંગ વોર થયો હતો. હાલ એટીએસએ જે આરોપી વિક્કીને ઝડપી પાડ્યો છે. તે પણ તેની હત્યામાં શામેલ હતો. જેથી હાલ તેને જેલની ચાર દિવાલો મળી છે.