ત્રિગ્રહી યોગ બનાવ્યા બાદ મેષ અને ધન રાશિના જાતકોને પણ સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ બે રાશિના લોકો ધ્યાન રાખજો
બની રહ્યો છે ત્રિગ્રહી યોગ
જાણો દરેક રાશિઓ પર શું અસર થશે
ગ્રહોના સેનાપતિ મંગળે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. આ રાશિમાં સૂર્ય અને કેતુ પહેલાથી જ બિરાજમાન છે. વૃશ્ચિક રાશિમાં મંગળ, સૂર્ય અને કેતુની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગ 16 ડિસેમ્બર સુધી સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કર્યા પહેલા બની રહેશે. તેનાથી વૃશ્ચિક રાશિના જાતકોના વહેવારમાં ઉગ્રતા આવશે. ત્રિગ્રહી યોગ બનાવ્યા બાદ મેષ અને ધન રાશિના જાતકોને પણ સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આવો જાણીએ આ દુર્લભ યોગની દરેક રાશિઓ પર કેવી અસર થશે.
મેષ
મેષ રાશિથી અષ્ટમ ભાવમાં આ ગ્રહોની યુતિ સારી નથી. વર્કપ્લેસ પર તમે ષડયંત્રોનો શિકાર થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહો. વાદ-વિવાદ અથવા કોર્ટ-કચેરીના મામલામાં ન પડો.
વૃષભ
વૃષભ રાશિ સાથે સપ્તમ ભાવમાં ત્રિગ્રહી યોદ તમારા માટે સફળતાના નવા રસ્તા ખોલી શકે છે. પરંતુ દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. આ સમયે યોજનાઓને ગુપ્ત રાખો તો સારૂ રહેશે.
મિથુન
મિથુન રાશિથી છ ભાવમાં મંગળ, સૂર્ય અને કેતુની યુતિ તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. તમને તેનો ભરપુર ફાયદો મળશે. પરંતુ આ સમયે પૈસા ઉધાર આપવાથી બચો. દર્ઘટનાઓથી પણ સાવધાન રહો.
કર્ક
કર્ક રાશિથી પંચમ ભાવમાં ત્રિગ્રહી યોગ વિદ્યાર્થીઓ માટે સારો અવસર બનીને આવ્યો છે. અભ્યાસમાં એકાગ્રતા વધશે. નોકરીમાં નવા અવસર મળવાના પણ યોગ છે.
સિંહ
સિંહ રાશિથી ચતુર્થ ભાવમાં બની રહેલા ત્રિગ્રહી યોગ અપ્રત્યાશિત પરિણામોના રૂપમાં લાભ આપશે. જમીન-પ્રોપર્ટી સાછે જોડાયેલા મામલાનો ઉકેલ આવશે. નોકરી-વ્યાપાર સાથે જોડાયેલા મામલા પણ પક્ષમાં રહેશે.
કન્યા
કન્યા રાશિથી તૃતીય ભાવમાં ત્રિગ્રહી યોગ તમારા માટે ખૂબ જ શુભ છે. યોજનાઓને ગોપનીય રાખતા કાર્ય કરવાથી સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ લેશો.
તુલા
તુલાના દ્વિતીય ભાવમાં બની રહેલા ત્રિગ્રહી યોગ અપ્રત્યાશિય લાભ આપશે. પૈતૃક સંપત્તિ અથવા જમીન-પ્રોપર્ટી સાથે જોડાયેલા નિર્ણય પક્ષમાં રહેશે. બહારના લોકો પર આંખ મુકીને વિશ્વાસ ન કરો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિમાં બની રહેલા ત્રિગ્રહી યોગ તમારા માટે ઉતાર-ચઢાવની સ્થિતિ ઉભી કરશે. જોકે દુકાન-મકાન સાથે જોડાયેલા કાર્ય શરૂ કરવા માટે શુભ સમય છે. રોજગાર સાથે જોડાયેલા મામલામાં લાભ મળશે.
ધન
ધન રાશિથી બારમાં ભાવમાં બની રહેલો ત્રિગ્રહી યોગ તમારા માટે થોડો કષ્ટકારક હોઈ શકે છે. સ્વભાવમાં ચિડચિડાપણુ આવી શકે છે. ઘણા અશુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.
મકર રાશિ
મકર રાશિથી એકાદશી ભાવમાં બની રહેલા ત્રિગ્રહી યોગ લાભના અવસર પેદા કરશે. ભાઈ-બહેન પાસેથી સહયોગ મળશે. ઉધાર આપેલુ ધન પરત મળી જશે. લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે.
કુંભ
કુંભ રાશિથી દશમ ભાવમાં બની રહેલા ત્રિગ્રહી યોગ માતા-પિતાના સ્વાસ્થને જોતા ચિંતાજનક હોઈ શકે છે. જોકે નોકરીમાં સારા અવસર મળી શકે છે. પદ-પ્રતિષ્ઠા વધશે. માન-સન્માનમાં પણ વધારો થશે.
મીન
મીન રાશિથી નવમ ભાવમાં બની રહેલો ત્રિગ્રહી યોગ મુળ પરિણામ આપશે. નોકરીમાં પદોન્નતિ અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. રોજગારના અવસર વધશે. જોકે અમુક ચિંતાઓ અને મુશ્કેલીઓ પણ તમારા આડે આવશે.