સૂર્યને જ્યોતિષમાં ગ્રહોનો રાજા કહેવામાં આવ્યો છે. સૂર્યની સ્થિતિમાં થોડુ પણ પરિવર્તન જીવનમાં મોટી અસર નાખે છે. સુર્યએ હાલમાં 25મેના રોજ નક્ષત્ર પરિવર્તન કર્યુ છે.
સૂર્યને જ્યોતિષમાં ગ્રહોનો રાજા કહેવામાં આવે છે
સુર્યએ હાલમાં 25મેના રોજ નક્ષત્ર પરિવર્તન કર્યુ
ત્રણ રાશિના જાતકો માટે આ પરિવર્તન સારું નથી
સૂર્યએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને આ સાથે નૌતપા શરૂ થયા છે. સૂર્ય 8 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં જ રહેશે. આની પહેલા સૂર્ય કૃત્તિકા નક્ષત્રમાં હતો. સૂર્યના રાશિ પરિવર્તનની જેમ નક્ષત્ર પરિવર્તનની અસર બધા 12 રાશિના જાતકો પર પડશે. જેમાંથી 3 રાશિના જાતકો માટે આ પરિવર્તન સારું નથી.
8 જૂન 2022 સુધી દુશ્મનોથી રહો સાવધાન
મેષ રાશિ
સૂર્યના નક્ષત્ર પરિવર્તનની અસર મેષ રાશિના જાતકો માટે શુભ કહી શકાય નહીં. આ દરમ્યાન મેષ રાશિના જાતકોએ દુશ્મનોથી સાવધાન રહેવુ જોઈએ. તેઓને દુશ્મન નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક નુકસાન થઇ શકે છે. સંબંધમાં તણાવ આવી શકે છે. જીવનસાથી સાથે ઝગડા થઇ શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને સૂર્ય નક્ષત્ર પરિવર્તનના કારણે નકારાત્મક પ્રભાવ ભોગવવો પડી શકે છે. આ રાશિના જાતક પછી વ્યાપારી હોય કે નોકરિયાત તેમણે સાવધાન થવાની વધુ જરૂર છે. દુશ્મન નુકસાન પહોંચાડી શકે છે. પોતાની યોજનાઓ સમજી-વિચારીને બનાવો અને તેમને કોઈને ના જણાવશો.
મીન રાશિ
સૂર્ય નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ મીન રાશિના જાતકો માટે સારો રહેશે નહી. આ રાશિના જાતકોએ લેવડ-દેવડ સમજી વિચારીને અને સાવધાનીપૂર્વક કરવી જોઈએ. ખાસ કરીને વ્યાપારી સંતર્ક રહે નહીંતર મોટુ નુકસાન થઇ શકે છે. જો કે, નોકરીયાત વર્ગને વધુ પરેશાની નહીં થાય. પરંતુ રોકાણ અંગે સાવધાન રહે.