વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 21 જૂન 2020ના રોજ સવારે 9.15 મિનિટે શરૂ થશે. આ ગ્રહણ બપોરે 3.04 મિનિટ સુધી રહેશે. જ્યોતિષીઓના મત અનુસાર ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલાં શરૂ થાય છે. એટલે કે 20 જૂન રાતે 9.25 મિનિટથી સૂતક શરૂ થયું છે. સૂતક સમયમાં કયા 12 કામો વર્જિત માનવામાં આવે છે તે જાણો અને ભૂલથી પણ આ કામ ન કરવાનું નક્કી કરો.
આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
રાતના 9.25 વાગ્યાથી શરૂ થયું 12 કલાકનું સૂતક
સૂતક સમયે 12 કામોને માનવામાં આવ્યા છે વર્જિત
આજના દિવસે આ 12 કામ કરવાનું ટાળો
ગ્રહણના સમયે કોઈ પણ ચીજ ખાવાનું ટાળો. જો કે આ નિયમ બાળકો, બીમાર લોકો કે વૃદ્ધો પર લાગૂ પડતો નથી.
સૂતકના સમયે કોઈ પણ નવું કામ કે શુભ કામ કરવાનું ટાળવું. ઘર, મકાનનું કામ, વાહનની ખરીદી કે લગ્નની તૈયારીઓ ટાળવી.
સૂતકના સમયે કોઈ પણ અણીદાર ચીજનો પ્રયોગ જેમકે કાતર, ચપ્પૂ, કાંટો, સોયનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે.
સૂતક લાગતાં જ મંદિરના દ્વાર બંધ થઈ જાય છે. આ સમયે પૂજા પાઠ ન કરવા અને ભગવાનની મૂર્તિને સ્પર્શ પણ ન કરવો.
ગ્રહણનું સૂતક લાગતાં પ્રકૃતિ સંવેદનશીલ બને છે. આ કારણ છે કે ઝાડ, પાન ન તોડવા અને તુલસીના પાનને પહેલાંથી તોડીને રાખવા અને પાણીમાં પલાળી દેવા. સૂતક બાદ કોઈને ભોજન પીરસો તો તેમાં આ પાન ઉમેરીને આપો.
સૂતકમાં વાળ ઓળવા, બ્રશ કરવું, નખ કાપવા વગેરે અશુભ માનવામાં આવે છે. ગ્રહણ સમયે આવું કોઈ કામ ન કરો.
આ સમયે ભગવાનનું ધ્યાન કરો અને તેનાથી નકારાત્મકતા તમારા પર કોઈ પ્રભાવ પાડશે નહીં. આ સમયે ધાર્મિક પુસ્તકો પણ વાંચી શકો છો.
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ ન જોવું. શક્ય હોય તો ઘરની બહાર પણ ન નીકળવું. ગ્રહણના કારણે ગર્ભના બાળકને શારિરીક અને માનસિક મુશ્કેલી આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણનું સૂતક લાગ્યા બાદ કોઈ પણ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું. આમ કરવાથી તમે પાપના ભાગીદાર બનો છો.
ગ્રહણ કાળનું સૂતક લાગ્યા બાગ ગર્ભવતી મહિલાઓ ગ્રહણ ખતમ થયા સુધી ધાતુથી બનેલી કોઈ વસ્તુને ન પહેરે અને ન તો તેનો પ્રયોગ કરે.
ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ વઘાર ન કરવો અને શક્ય તેટલું સાદુ ખાવાનું ખાવું.
સૂતક લાગ્યા બાદ માંસ, માછલી શરાબ કે સિગરેટનું સેવન ન કરવું.