રવિવાર અને 21 જૂને સવારે 9.15 મિનિટે પહેલું સૂર્યગ્રહણ લાગશે. બપોરે 3.04 મિનિટ સુધી આ ગ્રહણ ચાલુ રહેશે. સૂર્યગ્રહણનું સૂતક 20 જૂનની રાતના 9.16 વાગ્યાથી શરૂ થશે અને ગ્રહણ પૂરું થતાં સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ સારું નથી અને અનેક પ્રકારની મુસીબતો અને સમસ્યાઓ લઈને આવશે. ફક્ત કેટલીક રાશિને માટે આ ગ્રહણ રાજયોગ આપનારું રહેશે. જાણો ગ્રહણના સમયે અને ગ્રહણ પૂરું થયા પછી તેની અસર ઓછી થાય તે માટે અને ગ્રહણનો લાભ મેળવવા માટે શું કરવું.
21 જૂને યોજાશે સૂર્યગ્રહણ
આ રાશિના જાતકોને માટે ગ્રહણ રહેશે શુભદાયી
જાણો ગ્રહણના લાભ અને દુષ્પ્રભાવને અટકાવવા માટે શું કરવું
ગ્રહ અને નક્ષત્ર પર પડશે અસર
આ ગ્રહણ મિથુન રાશિમાં છે. ગ્રહણ સમયે શુભ ગ્રહ બૃહસ્પતિ નીચલી કક્ષામાં રહેશે. આ એક ખરાબ પાસું છે. સૂર્ય દેવ જે આત્માનો કારક છે તે પણ રાહુના કારણે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થવાના કારણે સમસ્યાઓ સર્જી શકે છે.
આ જાતકોને પડશે મુશ્કેલી
આ ગ્રહણ મૃગશિરા નક્ષત્ર અને રાહુના આદ્રા નક્ષત્રમાં રહેશે. તેના કારણે આ ગ્રહણ નુકસાનદાયી માનવામાં આવી રહ્યું છે. ગ્રહણના કારણે મૃગશિરા અને કૃતિકા નક્ષત્રના જાતકોને મુશ્કેલી આવી શકે છે. આ સિવાય પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલા લોકોને પણ થોડી તકલીફ પડી શકે છે.
આ રાશિઓને મળશે લાભ
મેષ, સિંહ, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો માટે આ ગ્રહણનો સૌથી વધુ લાભ મળશે. આ રાશિના લોકોને સરળતાથી મનગમતી ચીજો મળશે. થોડો લાભ કન્યા રાશિને પણ મળશે.
આ રાશિઓને થશે નુકસાન
આ ગ્રહણના કારણે મિથુન, વૃશ્વિક અને ધનુ રાશિ વધારે પ્રભાવિત થઈ શકે છે. થોડો પ્રભાવ મકર રાશિમાં પણ જોવા મળી શકે છે. સૂર્યગ્રહણને કારણે આ રાશિના લોકોને મુશ્કેલી પડી શકે છે.
દુષ્પ્રભાવથી બચવાના ઉપાય
આ 4 રાશિના જાતકોએ ગ્રહણની અસરથી થતા નુકસાનથી બચવા માટે સાત મંગળવાર સુધી બજરંગબાણનો પાઠ કરતાં રહેવું જરૂરી છે.
આ ઉપાયો કરવાથી મળશે ગ્રહણનો લાભ
સવારે સ્નાન કરીને લાલ રંગનું વસ્ત્ર ધારણ કરો. ગ્રહણ શરૂ થતાં પહેલાં તાંબાના લોટામાં થોડું દૂધ, ગોળ અને ગંગાજળ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો અને સૂર્યના મંત્રોનો જાપ કરો.
ગ્રહણ પૂર્ણ થયા બાદ ફરીથી સ્નાન કરો. લાલ વસ્ત્ર, ગોળ, નારિયેળનું દાન કરો, તેનાથી સૂર્યનો ખરાબ પ્રભાવ પડશે નહીં.
તુલસીજી પર જળ ચઢાવો અને જશમાં તુલસી મિક્સ કરીને પીઓ. ગ્રહણ કાળના સમયે ફક્ત બાળકો, ગર્ભવતી માતાઓ અને વૃદ્ધ ભોજન કરી શકે છે. ્ન્ય લોકો ફળના રસમાં તુલસીના પાન મિક્સ કરીને પી શકે છે.
આ છે સૂર્યગ્રહણની ખાસિયત
21 જૂને થનારું સૂર્યગ્રહણ વલયાકાર રહેશે. તેને ચૂડામણિ પણ કહેવામાં આવે છે. આ ગ્રહણ પર મિથુન રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને ચંદ્રની યુતિ બની રહેશે. આ સિવાય આ સમયે રાહુ, કેતુ, પ્લુટો, શનિ, બૃહસ્પતિ બુધ, શુક્ર વક્રી રહેશે. મંગળ પોતાની રાશિનું પરિવર્તન કરી ચૂક્યો હશે.
ક્યાં ક્યાં દેખાશે સૂર્યગ્રહણ
આખા ભારત સહિત સૂર્યગ્રહણ દક્ષિણ પૂર્વી યૂરોપ, ઉત્તરી ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, બર્મા, ફિલિપિન્સમાં દેખાશે.