ગુરૂવારે એટલે કે 26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ ભારતના મોટાભાગના હિસ્સાઓમાં જોવા મળશે. આ વખતનું સૂર્ય ગ્રહણ વલયાકાર હશે એટલે કે તમે ગ્રહણ સમયે સૂર્યને એક ચમકતી રિંગ વલયાકાર રીતે જોઇ શકશો. ગ્રહણને લઇને તમામ જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી છે કે, રાશીઓ પર સારી-ખરાબ અસર પડશે.
26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ
ભારતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે અસર
ભૂકંપ, સુનામી અને હિમવર્ષાનો ખતરો
આ વખતે ખગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે. 26 ડિસેમ્બર સવારે 8 વાગે ગ્રહણ શરૂ થશે જે સવારે 10.48 કલાક સુધી ચાલવાનું છે. જો કે, સંપૂર્ણ ગ્રહણ તો બપોરે 1.36 કલાકે પૂર્ણ થશે. એટલે કે, ગ્રહણ 5 કલાક 36 મિનિટ રહેશે. દક્ષિણ ભારતમાં આ ગ્રહણને સારી રીતે જોઇ શકાશે જ્યારે જે ચમકતી વીંટી જેવું દેખાશે.
ક્યાં-ક્યાં જોવા મળશે ગ્રહણની અસર
26 ડિસેમ્બરના રોજ યોજાનારું સૂર્ય ગ્રહણ ભારતની સાથે-સાથે પૂર્વી યુરોપ, એશિયા, ઉત્તરી/પશ્ચિમી ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકામાં પ્રભાવી રીતે જોવા મળશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, ચીન તથા પૂર્વ એશિયાના મોટા ભાગના વિસ્તારોમાં આ ગ્રહણ જોવા મળશે.
ભૂકંપ, સુનામી અને હિમવર્ષાનો ખતરો
જ્યોતિષના જણાવ્યા અનુસાર, ગ્રહણના એક દિવસ પહેલા પોષ મહિનામાં મંગળ રાશિ પરિવર્તન કરીને જળ-તત્વની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરનાર છે. આવી સ્થિતિ મોટી આફત આવવાનો ઇશારો કરે છે. ગ્રહણના 3 થી 15 દિવસની અંદર ભૂકંપ, સુનામી અને હિમવર્ષાનો ખતરો દેશ પર મંડરાઇ રહ્યો છે.