જૂલાઇ મહિનાની શરૂઆત જ સૂર્ય ગ્રહણથી થવા જઇ રહી છે. 2 જૂલાઇના વર્ષ 2019ની બીજુ સૂર્ય ગ્રહણ થશે.
આ ગ્રહણ રાહુના નક્ષત્ર આદ્રા અને મિથેન રાશિને લાગશે. આ સૂર્ય ગ્રહણ પૂર્ણ ગ્રહણ હોવાથી તે 4 કલાક અને 55 મિનિટ સુધી ચાલશે. આ ગ્રહણ 2 જૂલાઇના રાત્રે 11:25 મિનિટથી શરૂ થશે અને 3 જૂલાઇ સવારે 3 વાગીને 20 મિનિટે પૂરુ થશે. રાત્રે ગ્રહણ થવાને લીધે આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહી જોવા મળે.
જ્યોતિષ દષ્ટ્રિ અનુસાર, આ ગ્રહણ રાહુના નક્ષત્ર આદ્રા અને મિથુન રાશિમાં થવા જઇ રહ્યુ છે. જોકે ભારતમાં ના દેખાવવાનુ હોવાથી તેનો કોઇ ખાસ પ્રભાવ નહી પડે. જોકે જ્યોતિષની દષ્ટ્રિએ રાશિ પ્રમાણે તેનો પ્રભાવ જાતકો પર પડશે. તો જાણીએ કઇ રાશિ પર કેવી અસર પડશે...
મેષ:
આ સૂર્યગ્રહણ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. પારિવારિક કંકાસ કે ભાઇ-બહેન સાથે મતભેદ સર્જાઇ શકે છે.
વૃષભ:
આ રાશિના જાતકોને સૂર્ય ગ્રહણથી નુકસાન થવાની શક્યતા છે, વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે.
મિથુન:
સૂર્ય ગ્રહણ મિથુન રાશિમાં જ થતું હોવાથી તમારી માનસિક ચિંતા વધારો થશે. જીદ અને આવેશ પર નિયત્રંણ રાખવુ પડશે. સૂર્ય ગ્રહણના પ્રભાવથી બચવા માટે ભગવાન શંકરનો જાપ ઓમ નમઃ શિવાય કરવો પડશે.
કર્ક:
આ રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતા સાવચેરી ના રાખે તો અકસ્માત થવાની શક્યતા છે.
સિંહ:
આ રાશિને સૂર્ય ગ્રહણ ફળશે. અટકેલા કામ પાર પડશે, શત્રુઓ પર વિજય મળશે.
કન્યા:
આ રાશિના જાતકોને નુકસાન થશે, સ્થાન પરિવર્તન યોગ છે. આ રાશિના જાતકોએ માતા-પિતાનુ સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
તુલા:
સૂર્ય ગ્રહણના પ્રભાવને કારણે આ જાતકોના દાંપત્યજીવનમાં ખટાશ આવી શકે છે. કામમાં અડચણ અને આર્થિક હાનિનો પણ યોગ છે.
વૃશ્ચિક:
આ રાશિના જાતકો ષડયંત્રનો ભોગ બની શકો છો. ચેતતા રહેવુ. સ્વાસ્થ્યનું દ્રષ્ટિએ પણ આ સમય પ્રતિકુળ છે.
ધન:
દાંપત્યજીવનમાં મનદુઃખ સર્જાઈ શકે છે. ક્યાંકથી અશુભ સમાચાર મળતા માનસિક મુશ્કેલીમાં વધારો થશે.
મકર:
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવી. શત્રુ પર વિજય મળશે. કોર્ટ કેસ ચાલતા હશે તો તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે.
કુંભ:
શિક્ષા કે કોમ્પિટિશનમાં વધારે મહેનત કરશો તો પરિણામ તમારા પક્ષમાં આવશે. સંતાન સંબંધિત ચિંતામાં વધારો થશે.
મીન:
આ સમયમાં માનસિક ક્લેશ ઉત્પન્ન થઈ શકે છે. સામાન ચોરી પણ થઈ શકે છે આ માટે ચોક્કસથી સાવધાન રહો. ષડયંત્રનો શિકાર થવાથી પણ બચવુ.