20 એપ્રિલ વર્ષ 2023નુ પહેલુ સૂર્યગ્રહણ લાગવા જઇ રહ્યુ છે. જ્યારે કોઇ ગ્રહણ આવે છે. ત્યારે 40 દિવસ પહેલા અને પછી ક્યારેક તો 15 દિવસમાં જ ભૂંકપ આવે છે.
સામાન્ય રીતે ભૂંકપ દિવસ અને રાતના ખાસ સમયમાં જ આવે છે
ધરતીની ખાસ પ્લેટોંની સાથે જ ભૂકંપનું કેન્દ્ર છે
ચંદ્રગ્રહણ દરમિયાન સમુદ્રી તકલીફ અથવા પાણી સંબંધિત તકલીફો વધી જાય છે
ધાર્મિક માન્યતા અને જ્યોતિષીય ગણતરી મુજબ, સૂર્ય ગ્રહણ બાદ જ્યાં પૃથ્વી પર અસર થાય છે. ત્યાં ચંદ્રગ્રહણ જળ અને સમુદ્રને અસર કરે છે. આવનારી પ્રાકૃતિક તકલીફોને લઇ ગ્રહણ પહેલાથી જ ઇશારો આપે છે. જીવ-જંતુઓમાં આ દરમિયાન બેચેની અને હેરાન કરનારી હરકતો જોવા મળે છે. જ્યોતિષ મુજબ, ભૂંકપનો ખતરો આ ક્ષેત્રમાં વધારે હોય છે. જ્યાં સૂર્ય ગ્રહણ પર અસર વધારે થાય છે, અથવા જ્યાં ગ્રહણની અસર વધારે થાય છે.
સૂર્યગ્રહણ બાદ આ દેશ દુનિયામાં ભૂંકપથી તબાહી
સામાન્ય રીતે ભૂંકપ દિવસ અને રાતના ખાસ સમયમાં જ આવે છે. દિવસના 12 વાગ્યા પહેલા અને અડધી રાત્રે સૂર્યોદય થવાની વચ્ચે વધુ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ટર્કીમાં ભૂંકપનો પહેલા ઝટકો સવારે 4.17 વાગે આવ્યો હતો. રિએક્ટ સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નીટ્યૂડ છે.
સૂર્યગ્રહણ અને ભૂંકપ સાથે શું ક્નેક્શન?
જ્યારે પણ કોઇ સૂર્યગ્રહણ આવે છે તેના 40 દિવસ પહેલા અને 40 દિવસ બાદ ગ્રહણના 80 દિવસની અંદર ભૂંકપ ક્યારેય પણ આવી શકે છે. ક્યારેક ક્યારેક તો સૂર્યગ્રહણ 15 દિવસ પહેલા અથવા 15 દિવસ બાદ ભૂંકપના ઝટકા આવી શકે છે.
દરવર્ષે લગભગ 20 હજારથી વધારે ભૂંકપ આવે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભૂંકપના આ ક્ષેત્રમાં આવવાની સંભાવના વધી જાય છે. જ્યાં સૂર્યગ્રહણની અસર વધારે જોવા મળે છે અને જ્યાં ધરતીની નીચે વિપરીત પરિસ્થિતિઓ છે. જાણકારી અને આંકડા પર નજર કરીએ તો દરવર્ષે લગભગ 20 હજારથી વધારે ભૂંકપ આવે છે. તેમાંથી અમુક બહુ જ સામાન્ય હોય છે, જે સિસ્મોગ્રાહીની પકડમાં નથી આવતી. અમુક તો એટલા ભયંકર હોય છે તે તબાહી મચાવી શકે છે.
ધરતીની ખાસ પ્લેટોંની સાથે જ ભૂકંપનું કેન્દ્ર છે. સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણમાં ગ્રહ એક બીજી પર પોતાની છાયા આપે છે. આ છાયા ઇચ્છો તો સૂર્ય ચંદ્રમા પર પડે અથવા ફરી પૃથ્વી પર તેની અસર જોવા મળે છે. તે ઉપરાંત જ્યારે કોઇ ખાસ કારણથી સૂર્યના કિરણો ધરતી પર નથી પડતી તો ચંદ્રમા અને પૃથ્વી બંને પર અસર પડે છે.
સૂર્ય ગ્રહણ બાદથી દેશ-દુનિયામાં ધરતીથી જોડાયેલી તકલીફો આવે છે અને ચંદ્રગ્રહણ દરમિયાન સમુદ્રી તકલીફ અથવા પાણી સંબંધિત તકલીફો વધી જાય છે. તેના કારણે સમુદ્રમાં સુનામી આવી શકે છે.