સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મીન સંક્રાંતિ કહે છે. મીન રાશિ બૃહસ્પતિની જળ રાશિ છે અને તેમાં સૂર્યનો પ્રવેશ અનેક અશુભ પરિણામ આપે છે. આ સમયે બીમારીઓ અને રોગ વધે છે. લોકોના મનમાં ખૂબ ચંચળતા આવે છે. આ સમયે મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકોને સમસ્યાઓ આવી શકે છે. આ સમયે શુભ કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. મીન મળમાસ પણ કહે છે. સૂર્ય 14 માર્ચના રોજ 11.45 મિનિટે મીન રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્યનો મીન રાશિમાં થશે પ્રવેશ
14 માર્ચથી શુભ કાર્યો પર આવશે પ્રતિબંધ
4 રાશિના લોકોને પડી શકે છે મુશ્કેલીઓ
મેષ
માનસિક ચિંતાઓ તમને ઘેરી શકે છે. સ્વાસ્થ્યને લઈને તમારે સજાગ રહેવાની જરૂર છે. તમને ખૂબ જ તાવ હોય કે તમને કોઈ સમસ્યા હેરાન કરી શકે છે.પ્રેમ સંબંધોમાં પણ નિરાશા મળી શકે છે. તમારા ખર્ચા વધી શકે છે અને તમે રોકાણ સમજીને પ્લાનિંગ કરો, નહીં તો તમને નુકસાન થશે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે આ ગોચર બાદ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. કરિયરના કિસ્સામાં સાવધાની રાખો. ધનને લઈને સમજદારીથી કામ કરો તે જરૂરી છે. જીવનમાં થનારા મોટા પરિવર્તનને માટે તૈયાર રહો.
કન્યા
સૂર્યનો ગોચર કન્યા રાશિના જાકરો માટે ફાયદો લાવનારો છે. નાની યાત્રાના યોગ બની રહ્યા છે. સાથે આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. સંતાનની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. બાળકોના અભ્યાસ અને કરિયરને લઈને સફળતા મળી શકે છે.
મકર
આ સૂર્યના ગોચર બાદ ઘરમાં માંગલિક કાર્ય થવાના યોગ છે. વિવાહ અને પ્રેમ સંબંધોના કેસમાં સફળતા મળી શકે છે. સંતાનના કરિયરમાં મોટી સફળતા મળી શકે છે.