બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્ય ગોચરથી સર્જાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, જેનાથી ખીલી ઉઠશે આ 5 રાશિવાળાઓનું ભાગ્ય

photo-story

7 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / સૂર્ય ગોચરથી સર્જાશે લક્ષ્મી નારાયણ રાજયોગ, જેનાથી ખીલી ઉઠશે આ 5 રાશિવાળાઓનું ભાગ્ય

Last Updated: 05:00 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Gochar 2024: શુક્ર સિંહ રાશિમાં 31 જુલાઈએ ગોચર કરશે. ત્યાં જ શુક્રની બુધની સાથે યુતિ થવાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. એવામાં ઓગસ્ટ મહિનો મેષ, કર્ક, સિંહ સહિત 5 રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે.

1/7

photoStories-logo

1. લક્ષ્મી નારાયણ રાજયોગ

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં લક્ષ્મી નારાયણ રાજયોગ પ્રભાવશાળી રહેવાનો છે. હકીકતે સિંહ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. 31 જુલાઈએ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જ્યાં રહેલાથી જ બુધ બિરાજમાન રહેશે. માટે 31 જુલાઈ બાદ જ લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ધન લાભ આપનાર રાજયોગ

જ્યોતિષ શાસ્ત્રમાં લક્ષ્મી નારાયણ રાજયોગને અચાનક ધન લાભ આપનાર જણાવવામાં આવ્યો છે. આ રાજયોગના પ્રભાવથી જીવનમાં સુખ સુવિધાઓ પણ આવે છે. સાથે જ વ્યક્તિની બુદ્ધિ અને વિવેકમાં વૃદ્ધિ થાય છે. એવામાં ઓગસ્ટનો મહિનો લક્ષ્મી નારાયણ રાજયોગના પ્રભાવથી 5 રાશિઓના જાતકો માટે ખૂબ જ શુભ ફળદાયી સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મેષ

મેષ રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ તેમના પંચમ ભાવમાં બનવા જઈ રહ્યો છે. એવામાં તમને સંતાનની તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયમાં તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ સારી રહેશે. પોતાની બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવથી વેપારીઓ માટે પોતાના વેપારનું વિસ્તાર કરવા માટે ખૂબ જ સારૂ રહેશે. નોકરીયાતને પ્રમોશ અને પદોન્નતિ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કર્ક

કર્ક રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ તેમના બીજા ભાવમાં બનવા જઈ રહ્યો છે. એવામાં રાજયોગથી કર્ક રાશિના જાતકોને અચાનક ધન લાભ થવાની સંભાવના છે. તેના પ્રભાવથી તમને પરિવાર દ્વારા આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થશે. તેમને આ સમયમાં લાભના ઘણા સારા અવસર મળી શકે છે. આ સમયે તમે પોતાની વાતોથી બીજાને સમજાવવામાં સફળ રહેશો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સિંહ

સિંહ રાશિમાં જ લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. હકીકતે શુક્ર અને બુધ એક સાથે આ રાશિમાં બિરાજમાન થશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. એવામાં સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સૌભાગ્યશાળી સાબિત થશે. વેપારીઓને આ સમયમાં કોઈ મોટી સફળતા મળી શકે છે. પરણિત લોકોના જીવનમાં પ્રેમ અને ભાવનાઓ વધશે. કમાણીના સાધનો વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. તુલા

તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ તેમના આવક ભાવમાં બનશે એટલે કે 11માં ભાવમાં બનવા જઈ રહ્યો છે. એટલે કે તુલા રાશિના જાતકોની કમાણી આ સમય દરમિયાન ખૂબ જ સારી રહેશે. તમારી આવકના એકથી વધારે સ્ત્રોત પણ બની શકે છે. તમારી બધી અધુરી મનોકામનાઓ આ સમય દરમિયાન પૂર્ણ થશે. તમારી જે ઈચ્છાઓ ધનના અભાવમાં રોકાયેલી છે તે આ સમયગાળામાં પુરી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ધન

ધન રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ તેમના 9માં ઘરમાં બની રહ્યો છે. એવામાં આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. ભાગ્ય તમારો દરેક ક્ષેત્રમાં સંપૂર્ણ રીતે સાથ આપશે. તમારી મુલાકાત સમાજમાં ઉચ્ચ પદસ્થ સદસ્યો સાથે થશે. સાથે જ ભવિષ્યમાં તમને આ વ્યક્તિઓથી મોટો લાભ થશે. તમને આ સમયમાં અમુક નાની અને લાંબી યાત્રા કરવી પડી શકે છે. યાત્રાથી તમને ખૂબ જ લાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmi Narayan Rajyog Leo Surya Gochar 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ