જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યના રાશિ પરિવર્તનને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. 13 ફેબ્રુઆરીએ સૂર્ય ગોચર થઇને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. જેનાથી બનતી શનિ-સૂર્યની યુતિ અમુક રાશિના જાતકોનુ ભાગ્ય ચમકાવશે.
13 ફેબ્રુઆરીએ થશે સૌથી મોટો ગ્રહ ગોચર
શનિ-સૂર્યની યુતિ અમુક રાશિના જાતકોનુ ભાગ્ય ચમકાવશે
સૂર્ય 14 માર્ચ 2023 સુધી કુંભ રાશિમાં રહેશે
13 ફેબ્રુઆરીએ સૂર્ય ગોચર થઇને કુંભમાં પ્રવેશ કરશે
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. 13 ફેબ્રુઆરીએ સૂર્ય ગોચર થઇને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે, જેને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યનુ આ રાશિ પરિવર્તન અત્યંત ખાસ છે. કારણકે સૂર્ય શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે, જેમાં શનિ પહેલેથી જ છે. આ રીતે કુંભમાં શનિ અને સૂર્યની યુતિ બનશે. સૂર્ય 14 માર્ચ 2023 સુધી કુંભમાં રહેશે. આમ, સુર્ય-શનિની યુતિ બધી રાશિના જાતકો પર પ્રભાવ મુકશે.
સૂર્ય ગોચર 2023નો સમય અને પ્રભાવ
સૂર્ય 13 ફેબ્રુઆરી 2023ની સવારે 9 વાગ્યેને 57 મિનિટે કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચરની સૌથી શુભ અસર 4 રાશિના જાતકો પર પડશે.
વૃષભ રાશિ: વૃષભના જાતકો માટે સૂર્ય ગોચર અત્યંત સારું ફળ આપશે. આ જાતકોને નવી નોકરી મળી શકે છે. બેરોજગારોને રોજગાર મળશે. વેપારમાં લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે.
કન્યા રાશિ: સૂર્ય રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ કન્યા રાશિના જાતકો પર પણ પડશે. આ લોકોને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો મળવાના પ્રબળ યોગ બનશે. વેપાર વધશે. લોકો તમારા કામના વખાણ કરશે.
કુંભ રાશિ: સૂર્ય ગોચર થઇને કુંભ રાશિમાં જ પ્રવેશ કરશે. જેનાથી કુંભમાં શનિ અને સૂર્યની યુતિ બનશે, જે આ રાશિના જાતકો માટે ઘણુ સારું સાબિત થશે. આ જાતકોનુ વ્યક્તિત્વ નિખરશે. ભાગીદારીનુ કામ કરી રહેલા લોકોનો નફો થશે.
ધન રાશિ: 13 જાન્યુઆરીએ સૂર્ય કુંભ રાશિમાં ગોચર ધન રાશિના જાતકોને અત્યંત સારું ફળ આપશે. આ રાશિના જાતકો નવુ કામ અને વેપાર શરૂ કરી શકે છે. પિતા તરફથી સહયોગ મળશે. ધનલાભ થશે.