સૂર્યનું રાશિ પરિવર્તન દરેક રાશિઓને માટે મહત્વનું હોય છે. વર્ષ 2019માં સૂર્યનું છેલ્લું ગોચર બન્યું છે. સૂર્યએ 16 ડિસેમ્બરથી જ ધન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. 15 જાન્યુઆરી 2020 સુધી સૂર્ય આ રાશિમાં બિરાજમાન રહેવાનો છે. સૂર્યનું આ રાશિ પરિવર્તન એક અજબ સંયોગ બન્યો છે. સૂર્યથી પહેલાંથી જ ધન રાશિમાં શનિ, ગુરુ અને કેતુ બિરાજમાન છે. આ મહાસંયોગ લગભગ 1 મહિના સુધી રહે છે.
મેષ
આ ગોચરના સમયે સૂર્ય તમારી રાશિથી નવમા ભાવમાં સ્થિત છે. વિદ્યાર્થી જીવનને માટે તે શુભફળદાયી રહેશે. તેનાથી તમારી લવ લાઈફ સારી રહેશે. પરિવારના સભ્યોની સાથે તમે રજાઓનો પ્લાન પણ બનાવી શકો છો. સમાજમાં તમારા પિતાનું માન પણ વધશે. તમે તમારા ધંધાને વિકસાવી શકશો અને આર્થિક પાસાંમાં તે તમારા માટે નિવેશ માટે લાભ અપાવશે.
ઉપાય- સૂર્યના હાનિકારક પ્રભાવથી બચવા માટે આદિત્ય સ્ત્રોતનો જાપ કરો.
વૃષભ
વૃશભ રાશિમાં સૂર્યનો પ્રવેશ આઠમા ભાવમાં રહેશે. આ સમયે તમે તમારા સ્વાસ્થ્યને ન્યાય આપસો અને સાથે જ સતર્ક પણ રહેશો. આ સમયે તમારા કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. કાર્યસ્થળ પર તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. માતા-પિતાની હેલ્થ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદથી મન અશાંત રહી શકે છે. સડક પર વાહન ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે.
ઉપાય- મંદિરમાં ભગવાન વિષ્ણુને ગોળ ચઢાવવાથી સૂર્યનો હાનિકારક પ્રભાવ ઓછો થાય છે.
મિથુન
આ ગોચરીય સમયમાં સૂર્ય પોતાની રાશિથી સાતમા ભાવમાં રહેશે. સૂર્યનો આ ગોચર તમારા માટે ઓછો ફળદાયી સાબિત થાય છે. જો કે વ્યાપાર વર્ગના લોકોને સાવધાન રહેવાની જરૂર છે. બિઝનેસમાં નુકસાનથી બચવા પાર્ટનરનો સાથ મળવો જરૂરી છે. આ સમયે સૂર્યના અશુભ પ્રભાવથી બચવા માટે વ્યવહારમાં પરિવર્તન જોવા મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી કરવી નહીં.
કર્ક રાશિમાં સૂર્યનો પ્રવેશ છઠ્ઠા ભાવમાં રહેશે. ગોચરકાળમાં તમે શત્રુઓ પર હાવી રહેશો. આ સિવાય દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે. તમારે હેલ્થનું ધ્યાન રાખવાનું રહેશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. આ સમયે તમારા ઘરનું પુનનિર્માણ કે સોન્દર્યીકરણનું કામ કરાવી શકો છો. તમે તમારી સૂઝથી પરિસ્થિતિનો સામનો કરી શકો છો.
ઉપાય- વિશેષ લાભ માટે શિવજીની આરાધના કરો અને તેમને ખસનું ઇત્તર ચઢાવો.
સિંહ
આ ગોચરના સમયે સૂર્ય તમારી રાશિના પાંચમા ભાવમાં સ્થાપિત થશે. આ ગોચર અવધિમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આમ છતાં તમે આર્થિક સ્થિતિને લઈને સંતુષ્ટ રહેશો નહીં. પૈસા કમાવવાની લાલસા તમારામાં વધી શકે છે. તમે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધારી શકો છો. તમે કોઈને પ્રેમ કરો છો તો તેમાં તમને મુશ્કેલીઓ આવી શકે છે.
ઉપાય- વિશેષ લાભ માટે હરિવંશ પુરાણનો પાઠ કરો.
કન્યા
આ ગોચરકાળમાં સૂર્ય તમારી રાશિના ચોથા ભાવમાં બિરાજમાન છે. ગોચરની આ અવધિ તમારા માટે આર્થિક રૂપે ફળદાયી સાબિત થશે. જો તમે વિવાહિત છો તો આ ગોચરીય અવધિમાં તમારા જીવનસાથીના કાર્યક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં તાલમેલ બનાવવાની જરૂર છે. આ રાશિના જાતકોને મિશ્ર ફળ મળશે.
ઉપાય- રવિવારે તાંબાની વસ્તુનું દાન કરો.
તુલા
આ રાશિમાં સૂર્યનો પ્રવેશ તેમની કુંડળીના ત્રીજા ભાવમાં રહેશે. તેનાથી તમને ભાગ્યનો સાથ વિશેષ રીતે મળશે. તમને અનેક ક્ષેત્રમાં સફળતા પણ મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે અને સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. પોતાના બળે તમને સફળતા મળશે.
ઉપાય - વિશેષ લાભ માટે શ્વેતાર્કનો છોડ લગાવો અને રોજ તેની પર તેલ લગાવો.
વૃશ્વિક
આ ગોચરનો સૂર્ય તમારી રાશિના બીજા ભાવમાં વિરાજમાન રહેશે. તમે કોઈ ક્ષેત્રમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે ધ્યાનથી કામ કરો. નુકસાનની સંભાવના રહેલી છે. સૂર્યના હાનિકારક પ્રભાવથી આંખોનો રોગ થઈ શકે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમને નિરાશા મળી શકે છે.
ઉપાય - બેલમૂલની જડ ધારણ કરવાથી સૂર્યનો પ્રભાવ ઓછો કરી શકાય છે.
ધન
સૂર્યનો ગોચર તમારી રાશિમાં હોઈ શકે છે. તમારી રાશિ પહેલાં લગ્ન ભાવમાં સ્થાપિત થશે. કામકાજી લોકોના કાર્યક્ષેત્રમાં વધારે સફળતા મળશે. કામકાજી લોકો માટે સ્વર્ણિમ સમય હશે. તમારી અંદર અહંકારની ભાવના જાગૃત થઈ શકે છે. જે તમારી મુશ્કેલીનું કારણ બનશે.
ઉપાય- વિશેષ લાભ માટે સૂર્યદેવને જળ ચઢાવો અને લાલ ફૂલ અર્પિત કરો.
મકર
સૂર્ય તમારી રાશિથી બારમા ભાવમાં છે. જે તમને આર્થિક રીતે મજબૂત કરશે અને સાથે તમારે ખર્ચા પર અંકુશ રાખવો પડશે. આ સમયે મનમાં કામુક વિચારો આવી શકે છે. જો તમે કોઈ ખોટી સંગતમાં પડ્યા છો તો તમે તમારું માન ખોવી શકો છો. પોતાના પર સંયમ રાખો અને ખોટા વિચારો મનમાંથી કાઢી નાંખો. પ્રેમ જીવનમાં વિપરિત પરિણામ મળી શકે છે.
ઉપાય- રવિવારે ઘઉંની ઘૂઘરીઓનું દાન કરવાથી સૂર્યની હાનિકારક અસરને ઓછી કરી શકાય છે.
કુંભ
આ સમયે સૂર્ય તમારી રાશિથી અગિયારમાં ભાવમાં વિરાજમાન રહે છે. સૂર્યના આ ગોચરને કારણે લક્ષ્યને પાર કરવામાં સફળતા મળી રહે છે. લાંબો સમય રાહ જોવાની રહેશે નહીં. આર્થિક મજબૂતી અને કામમાં મળનારી સફળતાથી મન પ્રસન્ન રહેશે. જો તમે સિંલ છો તો આ સમયે તમે જીવનમાં નવી વ્યક્તિને મળશો. તેનાથી તમારો જીવનભરનો સાથ મેળવી શકશો. જે વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને માટે આ ગોચર ફળદાયી સાબિત થશે.
ઉપાય- વિશેષ લાભ માટે રવિવારે કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને દવા આપો.
મીન
સૂર્ય તમારી રાશિથી દસમા ભાવમાં વિરાજમાન છે. આ ગોચર તમારી કરિયરની રીતે તમારા માટે લાભદાયી નીવડી શકે છે. જો તમે કામની શોધમાં છો તો તમારી શોધ પૂરી થઈ શકે છે. તમે તમારી મનચાહી જગ્યાએ કામ મેળવી શકો છો, શક્ય છે તમારું પારિવારિક જીવન તણાવમાં રહી શકે છે. કોઈ વાતને લઈને પિતા સાથે વૈચારિક મતભેદ પમ થઈ શકે છે. વિવાહિત છો તો જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વ્યાપાર સાથે જોડાયેલા જાતકોને આ સમયે નુકસાન ઉઠાવવું પડી શકે છે.