સુરતમાં ગણેશ પંડાલમાં ફાયર વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક પંડાલમાં ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યુ. જેને લઈને 99 જેટલા ગણેશ પંડાલોને ફાયર વિભાગે નોટિસ પાઠવી છે. રસ્તા પર બનેલા પંડાલથી ઈમરજન્સી સેવા પર અસર થઈ છે. ફાયર વિભાગે નોટિસ ફટકારતા આયોજકો દોડતા થયા છે.