જામનગર જિલ્લામાં તા.12 અને 13 સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેતી પાકો, લોકોને, પશુઓને ખૂબ નુકસાની અને હાની પહોંચી હતી હવે અતિવૃષ્ટિ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે જોકે સરકાર દ્વારા આ નુકસાની માટે અસરગ્રસ્ત ગામો અને વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના સર્વે માટે જિલ્લાકક્ષાની 12 ટીમ અને રાજ્યકક્ષાની 10 ટીમો કાર્યરત છે સર્વેની કામગીરી કરી કરી છે ત્યારે નુકસાનીના સર્વે બાદ સહાય ચુકવવાની પણ સરકારે જાહેરાત કરી છે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી પૂરના કારણે જામનગર અને રાજકોટમાં અત્યંત વિકટ સ્થિતિ સર્જાઈ હતી
136 અસરગ્રસ્તા ગામોમાં સર્વે કરાયો
જામનગરમાં આવેલા પૂર બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 5 લોકોના મોત નિપજ્યા છે તો 1 હજાર 585થી વધુ પશુઓના પણ મોત થયા છે. આ તરફ ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 50 બંધ રસ્તાઓમાંથી ફરી 42 રસ્તાઓ શરૂ કરતા થોડી રાહત મળી છે. જિલ્લામાં ગ્રામ વિસ્તારોમાં સર્જાયેલી તારાજીને કારણે 17 રસ્તાઓ બંધ હતા જેમાંના 10 રસ્તાઓ હાલ શરૂ થઇ ચુકયા છે મહત્વનું છે કે પૂર સર્જાલી તબાહીમાં જામનગરમાં 5 હજાર 93 થી વધુ વીજળીના થાંભલાઓને નુકસાન પહોંચ્યું હતું જ્યારે 20 હજાર 370 કુટુંબોના ઘરવખરીને નુકસાન થયું હતું. 334 પાકા મકાનો, 54 સરકારી મકાનો સહિત 31474 હેક્ટર જમીનને પણ નુકસાન થયું છે તેમજ 790 હેક્ટરમાં રહેલા બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે.
970 હેક્ટર બાગાયતી પાકોને નુકસાન
મહત્વનું છે કે પૂર બાદ સર્જાયેલી નુકસાનીનો સર્વે કરી તમામને સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં 6,481 લોકોને ઘરવખરી-કપડાં સહાય તેમજ 24,272 લોકોને કેશડોલ્સ ચૂકવામાં આવનાર છે તો 462 પશુ મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે જ્યારે 136 અસરગ્રસ્ત ગામોમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં સરકારના નિયમ મુજબ આ અંગે ચૂકવણાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.