માસ્ક ન પહેરવાના બહાના અંગે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે કરેલા સરવેમાં 3 ટોપના બહાના સામે આવ્યાં છે.
માસ્ક ન પહેરવાના લોકો કેવા-કેવા બહાના આપી રહ્યાં છે
કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે માસ્ક ન પહેરવાના બહાના પર કર્યો સર્વે
લોકો માસ્ક ન પહેરવાના મુખ્ય 3 બહાના દેખાડી રહ્યાં છે
કારણ નં. 1
માસ્ક ન પહેરવા પાછળનું પહેલું કારણ લોકો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું આપી રહ્યાં છે. સરવેમાં સામેલ લોકોએ કહ્યું કે માસ્ક પહેર્યા બાદ તેમને શ્વાસ લેવામાં અડચણ આવે છે આ કારણ તેઓ માસ્ક પહેરતા નથી.
કારણ નં. 2
માસ્ક ન પહેરવાનું બીજું કારણ લોકોએ અસહજતા ગણાવ્યું છે. તેઓ કહે છે કે માસ્ક પહેરુ સારુ લાગતું નથી. પહેરવાથી અસહજ થઈ જવાય છે.
કારણ નં. 3
બીજું કારણ લોકો એ જણાવી રહ્યાં છે કે તેમને માસ્ક પહેરવાની કોઈ જરુર નથી. કારણ એ કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરી રહ્યાં છે. તેથી તેમને માસ્કની બહુ જરુર નથી.
લોકો ચેતવણીને ગંભીરતાથી લેતા નથી
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને લોકો ગંભીરતાથી લેતા નથી. મંત્રાલય વારંવાર કહેતું આવ્યું છે કે જો કોરોના પ્રોટોકોલનું પાલન ન થયું તો ત્રીજી લહેર આવવાનું નક્કી છે.
લોકોના વલણથી સરકાર ચિંતિત
લોકોના વલણથી સરકાર ચિંતિત છે. કોરોના પ્રતિબંધોમાં છૂટ અપાયા બાદ માર્કેટ્સ અને હિલ સ્ટેશનો પર લોકોની વધી રહેલી ભીડે સરકારની ચિંતા વધારી દીધી છે. અહીં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી, માસ્ક પણ પહેરતા ન થી. સરકાર કહી ચૂકી છે કે જો લોકોનો વ્યવહાર આવો રહ્યો તો પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે.