કોરોના મહામારીના કારણે લોકડાઉન પહેલાંથી શાળાઓ બંધ છે. વેક્સિન આવ્યા બાદ સારા સમાચાર એ છે કે અનેક રાજ્યોએ શાળાઓ ખોલવા માટે ફરી વિચાર કરવાનો શરૂ કર્યો છે. વેક્સિન આવ્યા બાદ 69 ટકા વાલીઓ બાળકોને એપ્રિલથી શાળાએ મોકલવા તૈયાર હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. 23 ટકા વાલીઓ ઈચ્છે છે કે જાન્યુઆરીમાં શાળાઓ ખુલે તો 56 ટકા વાલીઓ હજુ 3 મહિના સુધી રાહ જોશે.
વેક્સિન આવતા વાલીઓનો બદલાયો વિચાર
69 ટકા વાલી બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર
23 ટકા ઈચ્છે છે જાન્યુઆરીથી ખુલે સ્કૂલ
56 ટકા વાલી 3 મહિનાથી વધુ સમય રાહ જોશે
3 મહિના પહેલાં 34 ટકા વાલી બાળકોને સ્કૂલે મોકલવાના પક્ષમાં હતા
3 મહિના પહેલાં થયેલા સર્વેમાં 34 ટકા વાલીઓ બાળકોને શાળાએ મોકલા ઈચ્છતા હતા. હાલમાં કોરોનાના સંક્રમણ ઘટવાના કારણે અને સાથે વેક્સિન આવી રહી હોવાથી ભારતમાં ફરીથી શાળાઓ ખોલવા પર ફરીથી વિચાર કરાઈ રહ્યો છે.
69 ટકા વાલીઓ બાળકોને શાળાએ મોકલવા ઈચ્છે છે
ખાસ કરીને 69 ટકા માતા પિતા કહે છે કે અત્યારની સ્થિતિને જોતાં હવે શાળાઓ શરૂ કરી દેવી જોઈએ. આ સિવાય 23 ટકાએ કહ્યું કે જાન્યુઆરીથી શાળાઓ શરૂ થવી જોઈએ. લોકલ સર્કલમાં ગયા સપ્ટેમ્બરમાં કરાયેલા સર્વેમાં 34 ટકા માતા પિતાએ કહ્યુ કે તેઓ નવા શૈક્ષણિક વર્ષમાં બાળકોને શાળાએ મોકલવાનું વિચારશે. આ સાથે તેઓ એપ્રિલથી બાળકોને શાળાએ મોકલશે એવું માનનારાની સંખ્યા વેક્સિન આવવાના કારણે બમણી થઈ છે.
કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલે કર્યો સર્વે
સર્વેમાં વાલીઓને પૂછાયું કે શું કે તેઓ એપ્રિલ સુધીમાં વેક્સિન આવે તો બાળકોને શાળાએ મોકલવા ઈચ્છે છે. તેના જવાબમાં 26 ટકા વાલીઓએ કહ્યું કે તેઓ વેક્સિન આવ્યા બાદ બાળકોને શાળઆએ મોકલશે. તો 56 ટકાએ કહ્યું કે વેક્સિનના પ્રભાવને આધારે તેની રાહ જોયા બાદ તેઓ આ અંગે નિર્ણય લેશે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે શિક્ષાના ક્ષેત્રને હંમેશા માટે બંધ રાખી શકાશે નહીં, પણ બાળકોની સુરક્ષા મોટી પ્રાથમિકતા છે. આ સર્વેમાં દેશના 224 જિલ્લાના 19000થી વધુ માતાપિતાની પ્રતિક્રિયા લેવામાં આવી છે.
ડર ગયો, કોરોના પણ જશે!
કોરોનાની વેક્સિન આવ્યા બાદ વાલીઓનો બદલાયો વિચાર
69 ટકા વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા માટે તૈયાર
કેટલાક રાજ્યએ સ્કૂલ ખોલવા અંગે પણ કરી લીધો છે વિચાર
લોકલ સર્કલના ઓનલાઈન સર્વેમાં સામે આવ્યા આંકડા
69 ટકા વાલીઓ એપ્રિલ બાદ બાળકોને સ્કૂલ મોકલવા માગે છે
23 ટકા લોકોએ કહ્યું કે સ્કૂલોને જાન્યુઆરીથી જ શરૂ કરવી જોઈએ
56 ટકા વાલીએ કહ્યું કે 3 મહિના કે વધુ સમય સુધી રાહ જોયા બાદ નિર્ણય લેશે
ત્રણ મહિના પહેલા થયેલા સર્વેમાં માત્ર 34 ટકા વાલીએ જ દર્શાવી હતી તૈયારી