કોરોના સંકટના કારણે દેશને અને નાગરિકોને મોટું નુકસાન થયું છે. કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક નુકસાન કર્યું છે. કોઈની નોકરીઓ ગઈ અને લાખો લોકો બેરોજગાર થયા તો કોઈને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. આજે દેશનો દર 5મો નાગરિક બેરોજગાર બન્યો છે.
કોરોનાએ લોકોને આર્થિક રીતે તોડ્યા
66 ટકા લોકોએ કહ્યું કે કોરોનાથી ઈનકમમાં થયો ઘટાડો
દેશનો દર 5મો નાગરિક બન્યો બેરોજગાર
એક ખાનગી સર્વેથી મળી રહેલી માહિતી અનુસાર લોકોનું કહેવું છે કે કોરોનાએ દરેક વર્ગના લોકોને આર્થિક રીતે નુકસાન કર્યું છે. કોઈ બેરોજગાર થયા તો કોઈની આર્થિક સ્થિતિમાં મોટું નુકસાન થયું છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 66 ટકા લોકો માને છે કે તેમની આવક પર કોરોનાની મારનો ભાર પડ્યો છે. સર્વે અનુસાર કોરોનાના કરાણે 19 ટકા લોકો નોકરી ખોવી ચૂક્યા છે. 12 ટકા લોકોએ કહ્યું કે કંઈ બદલાયું નથી.
સર્વેમાં જાણવા મળ્યું છે કે 66 ટકા ખેડૂતોએ કહ્યું કે તેમની આવક ઘટી છે. 17 ટકા ખેડૂતોએ કહ્યું કે કોરોના સંકટને કારણે જે ખેતી હતી તે ખતમ થઈ છે અને તેઓ બેરોજગાર બન્યા છે.
શ્રમિકોની વાત કરીએ તો 69 ટકા શ્રમિકોનું કહેવું છે કે તેમની આવક ઘટી છે અને 21 ટકાનું માનવું છે કે આ કોરોનાએ તેમને બેરોજગાર કરી દીધા છે.
સ્વ રોજગાર સાથે જોડાયેલા 65 ટકા લોકોએ કહ્યું કે તેમની આવક ઘટી છે અને 20 ટકાએ કહ્યું કે જે રોજગાર હચો તે પણ ખતમ થઈ ચૂક્યો છે.
3 થી 13 જાન્યુઆરીની વચ્ચે કરાયેલા સર્વેમાં 12232 લોકો સાથે વાત કરાઈ હતી. સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે 66 ટકા બિઝનેસમેનની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે 19 ટકા કારોબાર બંધ થયા છે. આ સિવાય ખાનગી સર્વેમાં એમ પણ કહેવાયું છે કે 61 ટકા નોકરી કરનારાની આવક ઘટી છે તો 19 ટકા લોકો કોરોનાથી બેરોજગાર બનીને ઘરે બેઠા છે.
હાલમાં દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
ભારતમાં એક દિવસમાં કોરોનાના 14 હજાર 472 નવા કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં ભારતમાં કોરોનાથી 17 હજાર 226 દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 161 થયો છે તો દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 1 લાખ 85 હજાર 826એ પહોંચ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 6 લાખ 26 હજાર 200 છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 2 લાખ 82 હજાર 889 છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 53 હજાર 67ને પાર થયો છે.