સિંધુ બોર્ડર કેસમાં નિહંગે હત્યાની જવાબદારી સ્વીકારી શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે અને મેડિકલ કરાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
નિહંગે હત્યાની જવાબદારી સ્વીકારી પોલીસ સમક્ષ હાજર
પોલીસે કહ્યું કે હત્યામાં સંવોડાયેલા તમામની ધરપકડ કરાશે
સવારે CM મનોહર લાલ ખટ્ટરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી
#WATCH | Haryana Police detains one person in connection with the Singhu border incident.
A body was found hanging with hands, legs chopped at the spot where farmers' protest is underway (Kundli, Sonipat). FIR has been lodged. pic.twitter.com/gxfXTJ4kIu
સિંધુ બોર્ડર કેસમાં નિહંગે હત્યાની જવાબદારી સ્વીકારી શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે અને મેડિકલ કરાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નિહંગ સરવજીત સિંહે હત્યાની જવાબદારી સ્વીકારીને શરણાગતિ સ્વીકારી છે. પોલીસની સામે સરવજીત સિંહે દાવો કર્યો હતો કે આ હત્યા પાછળ તેમનો હાથ છે. તેણે શિરચ્છેદ અને હત્યાની જવાબદારી લીધી.
પોલીસે કહ્યું કે, હત્યામાં સંવોડાયેલા તમામની ધરપકડ કરાશે
પોલીસના જણાવ્યા અનુસાર, હવે સરવજીતની પૂછપરછમાં એ જાણી શકાશે કે તે સમયે તેની સાથે ત્યાં કોણ હાજર હતું. પોલીસ તે તમામ વીડિયો પણ સ્કેન કરી રહી છે જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે હત્યા કેટલી નિર્દયતાથી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તપાસમાં વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે. જો કોઈ આરોપી હત્યામાં સંડોવાયેલો જોવા મળશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે.
સવારે CM મનોહર લાલ ખટ્ટરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી
આજે વહેલી સવારે સિંઘુ સરહદની ઘટના પર ચંદીગઢમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં CM મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અનિલ વિજ અને પોલીસ મહાનિર્દેશક સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં ઘટનાની માહિતી લીધા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કડક અને વાજબી કાર્યવાહીના આદેશ આપ્યા હતા.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સિંઘુ બોર્ડર પર નિર્દય હત્યાના કેસમાં અત્યાર સુધી બે નામ બહાર આવી રહ્યા છે.
ઘટના શું છે ?
શુક્રવારે સવારે એક અજાણ્યા મૃતકનો મૃતદેહ સિંઘુ બોર્ડર પર પોલીસ બેરીકેડ સાથે બાંધેલો મળી આવ્યો હતો. મૃતદેહનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. આરોપ છે કે તે વ્યક્તિ શીખ ધાર્મિક પવિત્ર પુસ્તકનું અપમાન કરતો પકડાયો હતો, ત્યારબાદ નિહંગોએ તેની હત્યા કરી હતી. હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ તરન તારન જિલ્લાના ચીમા ખુર્દ ગામના 35-36 વર્ષના મજૂર લખબીર સિંહ તરીકે થઈ છે. તે અનુસૂચિત જાતિનો હતો. સોનીપતના ડીએસપી હંસરાજે જણાવ્યું કે, સવારે 5 વાગ્યે કુંડલી પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે, ખેડૂતોના આંદોલનના સ્ટેજ પાસે એક વ્યક્તિએ હાથ -પગ કાપ્યા બાદ ફાંસીએ લટકાવેલી હતી.